Latest

Tuesday, December 18, 2018

GSTના 18 ટકાવાળા સ્લેબમાં આવી શકે છે 99% વસ્તુઓ : મોદી

મોટાભાગની વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં આવી જશે

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક પ્રાઈવેટ ટેલિવિઝન ચેનલના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર 99 ટકા વસ્તુઓને GSTના 18 ટકાના સ્લેબમાં લાવવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, ઈનડાયરેક્ટ ટેક્સની નવી પ્રણાલી GST સ્થાપિત થઈ ચૂકી છે અને વસ્તુઓને જેટલી બની શકે તેટલી સરળ કરવાના પ્રયાસમાં છીએ.

સિલેક્ટેડ લક્ઝરી પ્રોડક્ટ્સ 28%ના સ્લેબમાં રહેશે

વડાપ્રધાને કહ્યું કે, ‘આજે GST વ્યવસ્થા ઘણી હદે સ્થાપિત થઈ ચૂકી છે અને અમે તે દિશામાં કામ કરી રહ્યાં છીએ, જ્યાં 99 ટકા વસ્તુઓ GSTના 18 ટકા ટેક્સ સ્લેબમાં આવે.’ તેમણે સંકેત આપ્યો કે, GSTનો 28 ટકાનો સ્લેબ માત્ર લક્ઝરી ઉત્પાદનો જેવી સિલેક્ટેડ વસ્તુઓ માટે હશે.

GSTથી થયો મોટો ફાયદો

મોદીએ કહ્યું કે, GST લાગૂ થયા પહેલા માત્ર 65 લાખ ઉદ્યોગો રજીસ્ટર્ડ હતા, જેમાં હવે 55 લાખ લાખનો વધારો થયો હતો. તેમણે કહ્યું હતું કે, અમારો પ્રયત્ન એ સુનિશ્ચિત કરવાનો છે કે, સામાન્ય વ્યક્તિના ઉપયોગવાળી તમામ વસ્તુઓ સહિત 99 ટકા ઉત્પાદનોને GSTના 18 ટકા અથવા તેનાથી ઓછા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવે. શરૂઆતી દિવસોમાં GST અલગ-અલગ રાજ્યોમાં રહેલા વેટ અથવા ઉત્પાદન શુલ્કના આધારે નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, સમયે-સમયે વાતચીત બાદ ટેક્સ વ્યવસ્થામાં સુધાર થઈ રહ્યો છે.’

ભ્રષ્ટાચાર મુદ્દે શું બોલ્યાં વડાપ્રધાન

મોદીએ કહ્યું કે, દેશ દાયકાઓથી GSTની માંગણી કરી રહ્યો હતો. મને એ કહેતા ખુશી થઈ રહી છે કે, GST લાગુ થવાથી વ્યાપારમાં અડચણો દૂર થઈ રહી છે અને પ્રણાલીની દક્ષતામાં સુધાર થઈ રહ્યો છે. સાથે જ અર્થવ્યવસ્થા પણ પારદર્શી થઈ રહી છે. ભ્રષ્ટાચાર બોલતા વડાપ્રધાને કહ્યું, ‘ભ્રષ્ટાચારને ભારતમાં સામાન્ય માની લેવાયો હતો. આ તો ‘ચાલે છે’ જ્યારે પણ કોઈ દિવસ અવાજ ઉઠતો હતો, સામેથી અવાજ આવતો હતો ‘આ ભારત છે. અહીં આવું જ ચાલે છે.’ તેમણે કહ્યું કે. જ્યારે કંપનીઓ લોન ચૂકવવામાં નિષ્ફળ રહેતી ત્યારે તેમના અને તેમના માલિકોની સાથે કંઈ નહોતું થતું. આવું એટલા માટે કારણ કે, કેટલાક ‘વિશેષ લોકો’ દ્વારા તેમને તપાસમાંથી સુરક્ષા મળેલી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2EARqVk

No comments:

Post a Comment

Pages