Latest

Wednesday, December 5, 2018

IL&FS પેટાકંપનીઓ અને રિયલ એસ્ટેટ વેચશે

66950087

મુંબઈ:ઉદય કોટકની આગેવાની હેઠળ IL&FS ₹16,000 કરોડ એકત્ર કરવા માટે આકરા પગલાં લઈ રહી છે. દેવામાં ડૂબેલી IL&FSમાં નવા બોર્ડની રચના થયા બાદ તે વિવિધ પેટાકંપનીઓના વેચાણ, વેતનખર્ચમાં ઘટાડો, બિન આવશ્યક રિયલ્ટી પરિસરોના વેચાણ, કેટલીક બિન મુખ્ય એસેટ્સના વેચાણની યોજના ધરાવે છે. આ પગલા દ્વારા તે ખર્ચ ઘટાડશે અને તત્કાળ તરલતા પેદા કરી શકશે. IL&FS ધિરાણકારોને દર્શાવવા માંગે છે કે નાણાં એકત્ર કરવા માટે નક્કર પગલાં લેવાયા છે.

IL&FS એજ્યુકેશન, IL&FS ટેક્‌નોલોજિસ, ઓએનજીસી ત્રિપુરા પાવર કંપની અને IL&FS પારાદીપ રિફાઇનરી વોટર લિમિટેડને આગામી દિવસોમાં વેચાણ માટે
મૂકવામાં આવશે. વિન્ડ એનર્જી અને સિક્યોરિટીઝ બિઝનેસ વેચવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. નવું નિયુક્ત કરાયેલું બોર્ડ વિદેશમાં પણ એસેટ વેચવાની યોજના ધરાવે છે.

આ એસેટ્સના વેચાણથી ₹8000 કરોડથી ₹10,000 કરોડ એકઠા થવાની શક્યતા છે તેમ પ્રાથમિક અંદાજમાં દર્શાવાયું છે. સિક્યોરિટીઝ બિઝનેસ વેચીને ₹400 કરોડથી ₹500 કરોડ એકત્ર થવાની શક્યતા છે. રિન્યુએબલ એનર્જી બિઝનેસના વેચાણ દ્વારા કંપની ₹8000 કરોડ એકત્ર કરે તેવી સંભાવના છે. આ એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે અને તેમાં એવા ટ્રાન્ઝેક્શન પણ થઇ શકે જેમાં કંપનીને કોઇ વેલ્યુ નહીં મળે.

બોર્ડે સોમવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલને પ્રોગ્રેસ રિપોર્ટ આપ્યો હતો. એનસીએલટીએ સોમવારે એક વચગાળાનો ઓર્ડર આપ્યો હતો જેમાં નવ ભૂતપૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવ્સને ત્રણ સપ્તાહમાં તેમની એસેટ જાહેર કરવા જણાવાયું હતું.

IL&FSનું બોર્ડ આંતરરાષ્ટ્રીય પેટાકંપનીઓ પણ વેચવા માંગે છે. 2008માં ITNLએ ખરીદેલી એલ્સામેક્સ માટે બાઇન્ડિંગ ઓફર મળી છે, જેમાં તે મેડ્રિડમાં એક રોડ પ્રોજેક્ટ માટે એગ્રીમેન્ટ ધરાવે છે. ITNL એ અગાઉ ITNL યુએસએ એલએલસીમાં ઇક્વિટી હિસ્સો વેચવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી, જે ઓ એન્ડ એમના બિઝનેસ સાથે સંકળાયેલી છે. બોર્ડે નાણાકીય સલાહકાર તરીકે જેએમ ફાઇનાન્શિયલ અને એર્પવૂડ કેપિટલની નિમણૂક કરી છે જ્યારે એ એન્ડ એમ રિઝોલ્યુશન પ્લાન પર કામ કરી રહ્યું છે.

31 ઓક્ટોબર બાદ નવા નિયુક્ત બોર્ડે લીઝ ભાડામાં કાપ મૂક્યો છે અને વિવિધ સ્થળો પર ઓફિસ બંધ કરી છે. તે IL&FS ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટરમાં અન્ય
કંપનીઓને ઓફિસ પરિસર લીઝ પર આપીને રેવન્યુ મેળવવા માંગે છે જે વાર્ષિક 13.5 કરોડ રૂપિયા હશે અને તેને ₹6.7 કરોડની સિક્યોરિટી ડિપોઝિટ મળી શકે તેમ છે. આ આવક ફેબ્રુઆરીથી શરૂ થવાની શક્યતા છે.

બોર્ડ IL&FS ગ્રૂપનું વાસ્તવિક સ્ટ્રક્ચર અને નાણાકીય સ્થિતિ જાણવા પર ધ્યાન આપી રહી છે. વિવિધ પેટાકંપનીઓ દ્વારા તે વિવિધ કામગીરીમાં ધ્યાન આપે છે. સોમવારે કોર્પોરેટ બાબતોના મંત્રાલયના કાઉન્સેલ સંજય શોરીએ એનસીએલટીને જણાવ્યું હતું કે નવા બોર્ડની રચના બાદ લગભગ 46 કંપનીઓનું અસ્તિત્વ મટી ગયું છે અથવા તે IL&FS ગ્રૂપનો હિસ્સો રહી નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2E3u35p

No comments:

Post a Comment

Pages