Latest

Wednesday, December 5, 2018

RBIએ વ્યાજદર યથાવત જાળવ્યા, ફુગાવાનો અંદાજ ઘટાડ્યો

66952675

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે તેની સમીક્ષા બેઠકમાં અપેક્ષાનુસાર ધિરાણ દર યથાવત જાળવી રાખ્યા હતા. મધ્યસ્થ બેન્કે ફુગાવાનો અંદાજ ઘટાડવા સાથે રેપો રેટ 6.5 ટકાના સ્તરે યથાવત રાખ્યા હતા. RBIએ સતત બીજી વાર વ્યાજદરમાં ફેરફાર કરવાનું ટાળ્યું હતું.

મધ્યસ્થ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ વિકાસદરને ટેકો આપવા ઉપરાંત ગ્રાહક ફુગાવાનો દર મધ્યમગાળામાં 4 ટકાની આસપાસ જાળવી રાખવાના હેતુ સાથે આ નિર્ણય કર્યો હોવાનું, બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.

સેન્ટ્રલ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી 7.4 ટકા રહેવાનો અંદાજ પણ યથાવત જાળવી રાખ્યો હતો જ્યારે આગામી વર્ષના (2019-20) પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં જીડીપી 7.5 ટકા રહેશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો.

આ સાથે મધ્યસ્થ બેન્કે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિકગાળામાં ફુગાવાનો દર 2.7-3.2 ટકા રહેવાનોઅંદાજ બાંધવામાં આવ્યો છે.

સેન્ટ્રલ બેન્કની મોનેટરી પોલિસી કમિટીના તમામ સભ્યોએ સર્વાનુમતે વ્યાજદર યથાવત જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો જોકે, રવિન્દ્ર એચ ધોળકિયાએ મધ્યસ્થ બેન્કનું સ્ટાન્સ બદલીને ન્યુટ્રલ કરવાની તરફેણ કરી હતી.

RBIની પોલિસીના દિવસે સવારથી જ શેરબજાર રેડ ઝોનમાં ટ્રેડ થયું હતું અને સેશનના અંતે બુધવારે BSE સેન્સેક્સ 249.90 પોઈન્ટ્સ ઘટી 35,884.41 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2DYWXnv

No comments:

Post a Comment

Pages