Latest

Wednesday, January 16, 2019

10 ટકા અનામત: GPSCએ 31 માર્ચ સુધીની પ્રાથમિક પરીક્ષાઓ રદ્દ કરી

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા ઓપન કેટેગરીમાં આવતા લોકોને 10 ટકા અનામત આપવાના નિર્ણયનો ગુજરાત સરકારે અમલ કરવાની જાહેરાત કરી છે. સરકારી નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સવર્ણોને 10 ટકા અનામત અપાશે. આ નિર્ણયના અમલના ભાગ સ્વરુપે જીપીએસસી દ્વારા પ્રસિદ્ધ થયેલી ભરતીની જાહેરાતો બાદ ભરતી પ્રક્રિયા શરુ નથી થઈ તે તમામ પરીક્ષાને રદ્દ કરી દેવાઈ છે.

જીપીએસસી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, જે ભરતીઓની પ્રાથમિક પરીક્ષા 20 જાન્યુઆરીથી 31 માર્ચ વચ્ચે લેવાનો કાર્યક્રમ છે, તે તમામ પરીક્ષાઓને જીપીએસસીએ રદ્દ કરી છે. આયોગે જણાવ્યું છે કે, 1 એપ્રિલ 2019 પછીની નિર્ધારિત પ્રાથમિક કસોટીઓ યથાવત રહે તેવો તે પ્રયાસ કરશે. જોકે, તેનો આધાર રાજ્ય સરકારની સૂચના પર રહેશે.

જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે તેમાં ક્લાસ-1થી લઈને ક્લાસ-3ની નોકરીઓ માટે લેવાનારી પરીક્ષાનો સમાવેશ થાય છે. જોકે, જે જાહેરાતોમાં પ્રાથમિક પરીક્ષા લેવાઈ ચૂકી છે, તે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર લેવાશે તેમ આયોગ દ્વારા જણાવાયું છે.

exa



from Page Array – I Am Gujarat http://bit.ly/2Mc4xNH

No comments:

Post a Comment

Pages