વેન અને ટ્રકની ટક્કર
તમિલનાડુઃ પુડુકોટ્ટઈમાં એક વેન અને ટ્રકની ટક્કરમાં 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વેન સબરીમાલાના શ્રદ્ધાળુઓથી ભરેલી હતી. જેમાંથી ત્રણ લોકોએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો. આ શ્રદ્ધાળુઓ કેરલના સબરીમાલા મંદિરમાંથી પરત ફરી રહ્યાં હતાં. એક જાણકારી અનુસાર આ શ્રદ્ધાળુઓ આંધ્રપ્રદેશના રહેવાસી હતાં.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ત્રીચી નેશનલ હાઈવે પર બની દુર્ઘટના
આ ઘટના રામેશ્વરમ ત્રીચી નેશનલ હાઈવે પર બની હતી. જ્યાં પેસેન્જર વેન ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને વેનને કચડી નાખી હતી. આ ઘટનામાં સાત લોકો ઘટનાસ્થળે જ મૃત્યું પામ્યાં હતાં. જ્યારે આઠ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જેમાંથી ત્રણ લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
અન્ય શ્રદ્ધાળુઓની ગંભીર હાલત

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રદ્ધાળુઓમાંથી પાંચની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે.
પરત ફરતાં સમયે બની દુર્ઘટના
રોંગ સાઈડમાં આવતી ટ્રકે કચડ્યાં

વેનનો નીકળ્યો કચ્ચરઘાણ

from Page Array – I Am Gujarat http://bit.ly/2CUhOr1

No comments:
Post a Comment