Latest

Sunday, January 6, 2019

હવે સ્ટેશન પર 20 મિનિટ વહેલું પહોંચવું પડશે, રેલવે કરી રહ્યું છે આ તૈયારી

સજજ્ડ બનાવાશે સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હીઃ રેલવેએ સુરક્ષા વ્યવસ્થાને સજ્જડ બનાવવા માટે એરપોર્ટ જેવી જ યોજના લાગુ કરવાનો વિચાર કર્યો છે. જે હેઠળ મુસાફરોને ટ્રેન પકડવા માટે નક્કી કરેલા સમયથી 20 મિનિટ પહેલા આવવું પડશે. જેથી સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી શકાય. હાઈ એન્ડ ટેક્નોલોજી સાથે આ વ્યવસ્થાને અલાહાબાદ રેલવે સ્ટેશન પર લાગુ કરવામાં આવી છે. જ્યાં કુંભ પર મોટી સંખ્યામાં મુસાફરો પહોંચવાના છે. કુંભની શરુઆત આ જ મહિનામાં થાય છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

દેશના 202 સ્ટેશન પર થશે શરુઆત

આ ઉપરાંત કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ બન્ને સ્ટેશનો પર પાયલટ પ્રોજેક્ટ તરીકે આ વ્યવસ્થા શરુ કરવામાં આવશે. જે પછી દેશના 202 સ્ટેશનો પર શરુઆત કરવામાં આવશે. રેલવે પ્રોટેક્શન ફોર્સના ડીજીપી જનરલ અરુણ કુમારે આ જાણકારી આપી છે. જે હેઠળ રેલવેએ સ્ટેશનનોને સીલ કરવાની તૈયારી કરી છે.

RPF પર પણ જવાબદારી

સૌથી પહેલા સ્ટેશનો પર ઓપનિંગ પોઈન્ટ્સની તપાસ કરવામાં આવશે અને એ નક્કી કરવામાં આવશે કે તેને બંધ કરી શકાય કે નહિ. આ વિસ્તારોને સ્થાનીક દિવાલોના માધ્યમથી બંધ કરવામાં આવશે અને કેટલીક ઓપનિંગ પોઈન્ટ્સની દેખરેખ રેલવે પ્રોટેક્શન ફોર્સ કરશે. આટલું જ નહિ કેટલીક જગ્યાઓ પર કામચલાઉ દરવાજા પણ તૈયાર કરવામાં આવશે.

આવવું પડશે વહેલું

અરુણ કુમારે જણાવ્યું કે,’દરેક એન્ટ્રી પોઈન્ટ પર રેન્ડમ સિક્યોરિટી ચેકિંગ હશે. જોકે, એરપોર્ટ્સની જેમ જ મુસાફરોને અહી કલાકો પહેલા નહિ પરંતુ 15-20 મિનિટ પહેલા આવવું પડશે. જેથી સિક્યોરિટી ચેક ઈનના કારણે ટ્રેન છૂટી જવાની સ્થિતિ ન ઉદ્ભવે.’ કુમારે જણાવ્યું કે સિક્યોરિટી વ્યવસ્થા વધશે. જોકે, સુરક્ષાકર્મીઓની સંખ્યા નહીં વધે.

રેલવે સ્ટેશનની કડક સુરક્ષા

અરુણ કુમારે કહ્યું કે, ‘જો અમે ટેક્નોલોજીમાં રોકાણ કરીએ અને તેમાં સુધારો કરીએ તો મેનપાવર વધારવાની જરુર નથી. 2016માં રેલવે તરફથી મંજૂર કરાયેલી ઈન્ટિગ્રેટેડ સિક્યોરિટી સિસ્ટમ હેઠળ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જે હેઠળ દેશભરના 202 મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનની સુરક્ષા કડક કરવામાં આવશે.’



from Page Array – I Am Gujarat http://bit.ly/2VysaUQ

No comments:

Post a Comment

Pages