Latest

Saturday, January 5, 2019

માત્ર નીરવ મોદી કે માલ્યા જ નહીં આ 27 લોકો ચૂનો લગાવીને નાસી ગયા

છેલ્લા પાંચ વર્ષમાં 27 ડિફોલ્ટરો

નવી દિલ્હીઃ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી બેન્કને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને દેશમાંથી નાસી છૂટ્યા છે. આ ત્રણેય લોકો સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. પરંતુ, આ સિવાય પણ બીજા પણ કેટલાય એવા લોકો છે જે ચૂનો લગાવીને દેશમાંથી ભાગી ગયા છે. કેન્દ્ર સરકાર તરફથી શુક્રવારે લોકસભામાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, છેલ્લા પાંચ વર્ષમાં 27 ડિફોલ્ટરો લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવીને દેશ છોડી ચૂક્યા છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમંત્રીએ જણાવી આ વાત

રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે, આ 27 ભાગેડુંઓમાંથી 20 સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે ભારતે ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. ઈન્ટરપોલ તરફથી 8 લોકો સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે 6 લોકો સામે જે તે દેશ પાસે પ્રત્યાર્પણની માગ કરવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, EDના જણાવ્યા પ્રમાણે 7 લોકો સામે કાયદેસરની પ્રક્રિયા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે વાત

શુક્લાએ ઉમેર્યું હતું કે, લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે યુનાઈટેડ કિંગ્ડમને આદેશ કર્યો છે કે, વિજય માલ્યાનું પ્રત્યાર્પણ કરવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે, સરકારે બેન્ક આદેશ આપ્યા છે કે, 50 કરોડ રૂપિયાથી વધારે લોન લેનારા પ્રમોટર્સ અને ડાયરેક્ટર્સના પાસપોર્ટની પ્રમાણિત કોપી જમા કરી લેવામાં આવે.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2F9OXkX

No comments:

Post a Comment

Pages