4 મહિનાથી ન્યૂયોર્કમાં છે ઋષિ

બોલિવુડ એક્ટર ઋષિ કપૂર છેલ્લા 4 મહિનાથી અમેરિકામાં સારવાર કરાવી રહ્યા છે. જો કે અત્યાર સુધી ઋષિ કપૂર બીમારી અંગે ચૂપ રહ્યા પણ હવે પહેલીવાર આ વિશે ટિપ્પણી કરી છે. અહેવાલ હતા કે ઋષિને કેન્સર થયું છે પરંતુ પરિવારે આ અટકળોને નકારી છે. હવે ઋષિ કપૂરે પોતે બીમારી અંગે ખુલાસો કર્યો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
પહેલી વખત બીમારી વિશે કર્યો ખુલાસો

એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે જણાવ્યું કે પોતો જલ્દી સાજા થઈ જશે. ઋષિ કપૂરને આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ પરત ફરશે. ઋષિએ કહ્યું, “સારવારની પ્રક્રિયા લાંબી અને થકવી નાખી દે તેવી છે. કોઈપણ વ્યક્તિને આના માટે ધૈર્યની જરૂર હોય છે. આ મારા માટે પણ મુશ્કેલ છે.” ફિલ્મો વિશે વાત કરતાં ઋષિએ જણાવ્યું કે, હાલ તો માત્ર સારવાર પર જ ધ્યાન છે એટલે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલુ નથી. ફિલ્મોમાંથી લીધેલો આ બ્રેક ભવિષ્યમાં મદદરૂપ થશે તેમ એક્ટરનું માનવું છે.
આ પોસ્ટ પરથી કેન્સરની ચર્ચાએ પકડ્યું હતું જોર

થોડા સમય પહેલા જ નીતૂ કપૂર ઈન્સ્ટાગ્રામ પર ન્યૂ યર સેલિબ્રેશનની એક તસવીર શેર કરી હતી. જેમાં ઋષિ-નીતૂ, રણબીર આલિયા, દીકરી રિધિમા અને જમાઈ તેમજ દોહિત્રી સમારા જોવા મળ્યા. તસવીર શેર કરતાં નીતૂએ લખ્યું હતું કે, “હેપી 2019! કોઈ સંકલ્પ નહીં, આ વર્ષે માત્ર વિશ છે. ઓછું પ્રદૂષણ, ટ્રાફિક!! આશા છે કે ભવિષ્યમાં કેન્સર માત્ર રાશિ (કર્ક)નું ચિહ્ન બનીને રહેશે.”
પરિવારે કેન્સરની અટકળો હંમેશા નકારી છે

આ પોસ્ટ બાદથી ઋષિને કેન્સર હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. અહેવાલો તો એવા પણ હતા કે ન્યૂ યોર્કની જે હોસ્પિટલમાં સોનાલી બેંદ્રેએ સારવાર લીધી તેમાં જ ઋષિ કપૂર પણ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. જો કે બાદમાં કપૂર પરિવારે આ ખબરને અફવા ગણાવી હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2TgCFut
No comments:
Post a Comment