સાંસદોને આદેશ

નવી દિલ્હીઃ સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગોને 10% અનામતના કેન્દ્ર સરકારના નિર્ણય પર મંગળવારે લોકસભામાં ભારે ચર્ચા જોવા મળી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ આદેશને મંજૂરી અપાવવા માટે સંવિધાનમાં સંશોધન માટેનું બિલ લાવી શકે છે. આ વાતનો સંકેત એ પરથી મળી રહે છે કે, ભાજપે પોતાના તમામ સાંસદોને હાજર રહેવા માટે વિહ્પ જાહેર કર્યું છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં

એક તરફ ભાજપને પોતાના સાંસદોને વિહ્પ આપી છે ત્યારે કોંગ્રસમાં પણ સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે આદેશ કરવમાં આવ્યા છે. આ સિવાય પણ રાજ્યસભાનું સત્ર એક દિવસ વધારવામાં આવ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, લોકસભામા બિલને મંજૂરી મળ્યા બાદ બુધવારે ઉપલા સદનમાં પણ બિલ રજૂ કરવામાં આવે એવી શક્યતાઓ છે. એવામાં આવનારા દિવસોમાં રાજકીય વાતાવરણ ગરમાવો લાવી શકે છે.
આ છે બંધારણીય વિધ્ન

મોદી કેબિનેટે સામાન્ય વર્ગના ગરીબો માટે સરકારી નોકરીઓમાં તથા ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓમાં 10% અનામતને મજૂરી આપી દીધી છે. જેનાથી ભાજપ અને સાથી પક્ષોએ એક ઐતિહાસિક કરાર જણાવ્યો હતો. કોંગ્રેસ સહિત બીજા વિપક્ષોએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી પહેલાનો મોદી સરકારનો સ્ટંટ છે. જોકે, એક પણ રાજકીય પાર્ટીએ સરકારના આ નિર્ણયનો સ્પષ્ટ વિરોધ કર્યો નથી. હવે જોવાનું એ રહે છે કે, લોકસભામાં આ બિલને લીઈને વિપક્ષનું વલણ કેવું રહે છે?
શું છે હાલમાં સ્થિતિ

લોકસભામાં સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. પણ રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા ઓછી છે. સાથી રાજકીય પાર્ટીના સમર્થન બાદ પણ તે બહુમતથી ખૂબ દૂર છે. એવામાં ઉપલા સદનમાં બિલ રજૂ કરવા માટે વિપક્ષનું સમર્થન જરૂરી છે. આવી સ્થિતિમાં બિલને લઈને લોકસભાથી પણ વધારે રાજ્યસભામાં ચર્ચા વધુ ગંભીર અને તોફાની બની રહે એવા પણ એંધાણ છે.
No comments:
New comments are not allowed.