Latest

Saturday, January 26, 2019

આ એક્ટરે ‘પદ્માવત’માં ખિલજીના રોલ માટે પાડી હતી ના!

સંજયે શાહરુખને ઑફર કરી હતી ‘પદ્માવત’

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના નિર્માતા, સ્ક્રીન રાઈટર, ડિરેક્ટર અને મ્યૂઝિક ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે દરેક એક્ટર કામ કરવા માગે છે. શાહરુખે પણ તેની સાથે ‘દેવદાસ’ જેવી યાદગાર ફિલ્મમાં કામ કર્યું હતું. આમ છતાં જ્યારે તેની પાસે સંજયની ફિલ્મ ‘પદ્માવત’ની ઑફર આવી તો તેણે ના પાડી દીધી અને ફિલ્મમાં બીજા એક્ટરની એન્ટ્રી થઈ ગઈ.

બંને મેલ રોલ ઑફર કરાયા પણ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે સંજય શાહરુખને રાજા રતન સિંહ રાવલનો રોલ આપવા માગતો હતો. આ માટે જ્યારે તેણે શાહરુખ સાથે વાત કરી ત્યારે તેને આ રોલ ઘણો નબળો લાગ્યો. બાદમાં સંજયે તેને અલાઉદ્દીન ખિલજીનો રોલ પણ ઑફર કર્યો અને શાહરુખે તેના માટે પણ ના પાડી દીધી.

આ કારણે ન કર્યો ખિલજીનો રોલ

જોકે, ફિલ્મમાં ખિલજીના રોલને ના પાડવા પાછળ કારણ જણાવવામાં આવી રહ્યું છે કે, શાહરુખે ફિલ્મ ‘રઈસ’માં નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. જેના માટે તેને દર્શકોની ખાસ પ્રતિક્રિયા મળી નહોતી. આને કારણે જ શાહરુખ કોઈ અન્ય નેગેટિવ પાત્ર કરવા માગતો નહોતો. બાદમાં સંજયે આ રોલ માટે રણવીર સિંહને પસંદ કર્યો.

ભણસાલીની સૌથી મોટી ફિલ્મ

જણાવી દઈએ કે, આ ફિલ્મ ગત વર્ષે 25 જાન્યુઆરી 2018ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મને આજે પણ તેના ભવ્ય સેટ, કર્ણપ્રિય ગીતો અને દમદાર એક્ટિંગ માટે યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં ફિલ્મે ભારતમાં 302 કરોડ અને વર્લ્ડવાઈડ 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. આ ફિલ્મ ભણસાલી, શાહિદ કપૂર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HHOVma

No comments:

Post a Comment

Pages