Latest

Saturday, January 5, 2019

સરકારનો નવો નિયમઃ કર્મચારીઓ રજાની રોકડી નહિ કરી શકે

20 દિવસ રજા ફરજિયાતઃ

કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે તેમના પરમેનન્ટ કર્મચારીઓએ હવે અર્ન્ડ લીવ (EL)ના 20 દિવસ ફરજિયાત રજા લેવી જ પડશે. તેઓ રિટાયરમેન્ટ સુધી આ રજા બચાવી કે એનકેશ નહિ કરી શકે. સરકારી બેન્કોએ 2018ના છેલ્લા મહિનાઓથી આ નિયમ અમલમાં મૂકી દીધો છે. ઓક્ટોબરમાં બેન્કોએ આ જાહેરાત કરતા ઘણા કર્મચારીઓને નવાઈ લાગી હતી.

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

રજાના નવા નિયમોઃ

હવે સરકારી કર્મચારીઓ માટે રજા લેવાના નવા નિયમો બની ગયા છે. આ નિયમ કર્મચારીઓનું સ્વાસ્થ્ય સુધારવા માટે બનાવાયો છે જેથી તે કામ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખી શકે.

મળે છે ઢગલાબંધ રજાઃ

સરકારી કર્મચારીઓને પ્રાઈવેટ સેક્ટરની સરખામણીએ ઢગલાબંધ રજાઓ મટળે છે. તેમને દર વર્ષે 30 દિવસની પગાર સાથેની રજા મળે છે. ડિફેન્સ ક્ષેત્રના કર્મચારીઓ માટે આ મર્યાદા 60 દિવસન છે. આ ઉપરાંત તેમને 10 કેઝ્યુઅલ લીવ અને 19 દિવસની જાહેર રજાઓ મળે છે. ઘણા ઓછા કર્મચારીઓ તેમની અર્ન્ડ લીવ વાપરે છે. બ્રેક જોઈએ ત્યારે તે વીકેન્ડની આજુ બાજુ એક કે બે રજા જોડી દે છે.

ELની રોકડી કરતા હતા કર્મચારીઓઃ

સરકારી કર્મચારીઓ 300 દિવસ સુધીની અર્ન્ડ લીવ ભેગી કરી શકે છે. તે રિટાયર થાય ત્યારે તેમને 300 દિવસનો પગાર સરકાર આપે છે. આથી આ બચાવેલી રજા તેમને રિટાયરમેન્ટમાં તગડો ફાયદો કરાવી આપે છે. આથી સરકારી કર્મચારીઓની 300 રજા ભેગી થાય પછી જ તે પોતાની EL વાપરવાનું ચાલુ કરે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VxZnzB

No comments:

Post a Comment

Pages