Latest

Saturday, January 5, 2019

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જતા પહેલા ધોનીએ મંદિરમાં કરી પૂજા

ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમમાં ધોની

નવી દિલ્હીઃ ભારતીય ટીમના સફળ કેપ્ટનમાંથી એક ધોની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જતા પહેલા શુક્રવારે રાંચીના માતા દેવડી મંદિર જઈને ભજન-કીર્તનમાં હાજરી આપી હતી.પૂર્વ કેપ્ટન ધોની અઢી મહિના બાદ ફરી મેદાન પર બ્લૂ જર્સીમાં જોવા મળશે. તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે. ત્યાર બાદ 12 જાન્યુઆરીથી વનડે-સીરીઝ શરૂ થઈ રહી છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ધોનીએ રાંચીના મંદિરમાં કરી પૂજા

ધોનીને 3 મેચોની આ સીરીઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયોમાં ધોની દેવડી મંદિરમાં બેસેલો દેખાઈ રહ્યો છે અને તેની બાજુમાં પુજારી માતાના ભજન ગાઈ રહ્યા છે.

ધોનીએ છેલ્લી વનડે 1 નવેમ્બર 2018માં રમી હતી

પોતાની કેપ્ટનશિપમાં ભારતે વર્ષ 2011માં વનડે વર્લ્ડ કપ અપાવનારા ધોનીને ઓસ્ટ્રેલિયયા સામેની ટી20 સીરીઝ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ધોનીએ છેલ્લે વનડે ઈન્ટરનેશનલ મેચ ગત વર્ષે 1 નવેમ્બરે વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2RwCb5z

No comments:

Post a Comment

Pages