Latest

Wednesday, January 2, 2019

ભાવનગરના નીચા કોટડા ગામે માઈનિંગનો વિરોધ કરતા લોકો પર લાઠીચાર્જ

ભાવનગર: ભાવનગર જિલ્લાના નીચા કોટડા ગામે માઈનિંગનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

ડૉ. કનુ કળસરિયાની આગેવાનીમાં એકત્ર થયેલા લોકોને વિખેરવા માટે પોલીસે 30 જેટલા ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. સ્થાનિકો અહીં અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા કરાઈ રહેલા માઈનિંગનો વિરોધ કરી રહ્યા છે.

અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ભાવનગરમાં થોડા મહિનાઓ પહેલા જ માઈનિંગની કામગીરી શરુ કરવામાં આવી છે, જેનો સ્થાનિક લોકો મોટાપાયે વિરોધ કરી રહ્યા છે.

અગાઉ પણ કંપનીના માણસો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થઈ ચૂક્યું છે, અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.

આજે થયેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસે અત્યાચાર કર્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

વિરોધ કરવા એકઠા થયેલા લોકોએ જણાવ્યું હતું કે, પોલીસે મહિલાઓ પર પણ લાઠીચાર્જ કર્યો હતો.

સ્થાનિકો અહીં કોઈપણ સંજોગોમાં માઈનિંગની પ્રવૃત્તિ અટકાવવા માટે કટિબદ્ધ છે, અને તેનો ઘણા સમયથી વિરોધ પણ થઈ રહ્યો છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2QiKiy2

No comments:

Post a Comment

Pages