લાખો ફ્લેટનું કોઈ લેવાલ નથી
મુંબઈ/બેંગલુરુ: છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલા બિલ્ડરો હવે અંડર કન્સ્ટ્રક્શનને બદલે તૈયાર મકાનોને વેચવા પર વધુ ભાર મૂકી રહ્યા છે. હાલના સમયમાં દેશના સાત ટોચના શહેરોમાં 6.73 લાખ જેટલા મકાનો વેચાયા વગરના પડ્યા છે, જેમાંથી 85,000 બનીને તૈયાર છે.
કિંમતમાં નજીવો તફાવત

બીજી તરફ, તૈયાર મકાનો અને અંડર-કન્સ્ટ્ર્કશન મકાનોની કિંમતમાં રહેલો તફાવત પણ મોટાભાગના શહેરોમાં ઘટી રહ્યો છે. જોકે, અંડર-કન્સ્ટ્રક્શન મકાન પર 12 ટકા જીએસટી લાગતો હોવાથી તેની કિંમત વધી જાય છે. માર્કેટમાં તૈયાર મકાનોનો ખૂબ જ મોટો જથ્થો વેચાણ માટે ઉપલબ્ધ હોવાથી, અને અંડર-કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઘર લેવાથી ખાસ ફાયદો ન થતો હોવાથી લોકો પણ તૈયાર મકાન લેવાનું જ પસંદ કરી રહ્યા છે.
અફોર્ડબલ ફ્લેટ્સની ડિમાન્ડ

જે મકાનો તૈયાર છે, પરંતુ હજુ વેચાયા નથી તેમાં અફોર્ડેબલ ફ્લેટ્સનું પ્રમાણ 60 ટકા જેટલું છે, અને તેમની કિંમત 80 લાખ રુપિયાની અંદર છે તેમ એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સનું કહેવું છે. વળી, લોકો પણ અંડરકન્સ્ટ્રક્શનને બદલે તૈયાર ઘર ખરીદવાનું વધુ પસંદ કરે છે, કારણકે જો તેનું બીયુ આવી ગયું હોય તો ઘર પર 12 ટકા જીએસટી નથી આપવો પડતો.
અંડર-કન્સ્ટ્રક્શન ઘર પર 12 ટકા જીએસટી

છેલ્લા છ મહિનામાં અફોર્ડેબલ હાઉસિંગમાં લોકોનો રસ પણ ખાસ્સો વધ્યો છે. નવું ઘર ખરીદવા માગતા 67 ટકા લોકો બજેટ રેન્જમાં આવતું હોય તેવું જ ઘર ખરીદવા ઈચ્છે છે. જોકે, તૈયાર ઘર ખરીદવાનો પ્લાન હોય તો એવી સ્કીમમાં જ તેનો ફાયદો મળે છે કે જેને બીયુ મળી ગયું હોય. બીયુ ન મળ્યું હોય, પરંતુ સ્કીમ બનીને તૈયાર હોય તો પણ 12 ટકા જીએસટી આપવો પડે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Ww7c9M
No comments:
Post a Comment