સ્કૂલમાં બંધ ગાયોને છોડાવવા પોલીસ આવી અને…

ફૈઝ રહેમાન સિદ્દીકી, કાનપુર : કાનપુરના નાગવા ગામના બિધનૂ વિસ્તારમાં પોલીસ દ્વારા સરકારી સ્કૂલમાં બંધ કરવામાં આવેલી ગાયોને મુક્ત કરાતા સ્થાનીક લોકોએ પોલીસ અને તેમના વાહનો પર હુમલો કર્યો હતો. આ ઘર્ષણમાં ત્રણ પોલીસકર્મીઓ અને ઘણા સ્થાનીકોને ઈજા થઈ હતી. સાથે-સાથે પોલીસના વાહનોને પણ નુકસાન થયું હતું. ખેડૂતોનું કહેવું છે કે, આ ગાયોને મુક્ત કરાતા તે તેમના ખેતરોમાં ઘૂસી જાય છે અને ત્યાં પાકને નુકસાન કરે છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પોલીસે 50 વિરુદ્ધ નોંધ્યો ગુનો

પોલીસે દ્વારા 50 જેટલા લોકો વિરુદ્ધ ગાયોને ગેરકાયદે સ્કૂલમાં પૂરવાના તથા હિંસા કરવાના આરોપમાં ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘હજુ સુધી કોઈને અરેસ્ટ કરાયા નથી.’ તેમણે ઉમેર્યું કે, આ ઘટના સ્કૂલના હેડમાસ્તર દ્વારા કોરિયાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારબાદ બની હતી.
શું હતી આખી ઘટના

ઘટનાના સાક્ષી એવા વ્યક્તિના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ દ્વારા ખેડૂતોને રખડતી ગાયોને મુક્ત કરવા માટે કહેવાયું ત્યારે ઘર્ષણ પેદા થયું. ખેડૂતોનો આરોપ છે કે, રખડતા ઢોર તેમના પાકને નુકસાન પહોંચાડે છે. બાદમાં સ્થાનીકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2F7YuZF
No comments:
Post a Comment