ડેટમાં ફેરફાર કરવાનું આ હતું કારણ
મુંબઈઃ તા. 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘ઠાકરે’ને કારણે ઈમરાન હાશમીએ પોતાની નવી ફિલ્મ ‘ચિટ ઈન્ડિયા’ની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. પહેલા આ ફિલ્મ તા. 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી. જોકે, આ દિવસે કંગના રનૌતની નવી ફિલ્મ મણિકર્ણિકા પણ રિલીઝ થઈ રહી છે. શિવસેના સ્થાપક અને નેતા બાલા ઠાકરેની બાયોપિક ફિલ્મને માહોલ બનાવવામાં આવી રહ્યો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
ફિલ્મ ‘ઠાકરે’ થશે રિલીઝ

‘ઠાકરે’ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દકી લીડ રોલમાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્મે બીજી ફિલ્મો માટે થોડી મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. શિવસેના સંબંધિત ચિત્રપટ સેનાના સચિવ બાલા લોકારેએ કહ્યું હતું કે,તા. 25 જાન્યુઆરીના રોજ ‘ઠાકરે’ સામે બીજી કોઈ ફિલ્મ રિલીઝ થવા નહીં દઈએ. જોકે, આ ફિલ્મને ધ્યાને લઈને ફિલ્મ ‘ચિટ ઈન્ડિયાના’ નિર્માતાઓએ પોતાની ફિલ્મની ડેટ બદલી નાંખી. આ ફિલ્મની નવી ડેટ 18 જાન્યુઆરી કરી દેવામાં આવી છે.
‘મણિકર્ણિકા’ પર પ્રેશર

‘ઠાકરે’ રિલીઝ થવાને લઈને જે રીતે એક પ્રેશર ઊભુ કરવામાં આવી રહ્યું છે તેમાં ‘મણિકર્ણિકા’ની રિલીઝ ડેટ સામે પણ જોખમ છે. રાણી લક્ષ્મીબાઈના જીવર પર આધારિત આ ફિલ્મમાં કંગના રનૌત લીડ રોલમાં છે. આ ફિલ્મના નિર્માતાઓ પણ એવું નથી ઈચ્છા કે, ફિલ્મની રિલીઝ ડેટને લઈને કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2LQ3bI2
No comments:
Post a Comment