ટેલિકોમ ડિપાર્ટમેન્ટે શરત નામંજૂર રાખીઃ

નવી દિલ્હીઃ અનિલ અંબાણી તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની જિયોને સ્પેક્ટ્રમ વેચીને 15,000 કરોડ રૂપિયાની આવક મેળવી દેવુ ચૂકતે કરવાની પેરવીમાં પણ છે. પરંતુ હવે સરકારનો એક આદેશ એવો આવ્યો છે કે મુકેશ અંબાણી ચાહીને પણ નાના ભાઈની મદદ નહિ કરી શકે. સરકારે જિયોને એક વખત ડીલનું ટ્રાન્ઝેક્શન પતે તે પછી અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના જૂના લેણાની રકમની ઊભી થતી જવાબદારીમાંથી મુક્ત કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. જિયોએ સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ (DoT) સામે શરત મૂકી છે કે આરકોમના જૂના દેવા સામે તેમને રક્ષણ આપવામાં આવે. પરંતુ ડિપાર્ટમેન્ટે જિયોની આ શરત નામંજૂર રાખી છે.
3000 કરોડનો મામલોઃ

ટેલિકોમ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું, “નવા ખરીદદારને રક્ષણ આપવાનો સવાલ જ ઊભો નથી થતો. આ પૈસા લોકોના છે. આરકોમ જે કોર્પોરેટ ગેરન્ટી આપે છે તે પૂરતી નહિ હોય તો અમે તેની પાસેથી સ્પેક્ટ્રમ ખરીદનાર પાસેથી રકમ વસૂલીશું.” આ રકમ રૂ. 3000 કરોડ જેટલી હોવાનો અંદાજો છે. આ રકમ કાયદાકીય ગૂંચમા પડી છે અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ આ માટે સરકાર સામે લડી રહીછે.
કોર્પોરેટ ગેરન્ટી પર ભરોસો નથીઃ

સામાન્ય રીતે ડીલ થાય ત્યારે સરકાર ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી જવાબદારી માટે બેન્ક ગેરન્ટી માંગી લે છે. પરંતુ દેવામાં ડૂબેલી આર.કોમ આ ગેરન્ટી આપવામાં નિશઅફળ રહી હતી. ત્યાર બાદ તેમણે કોર્ટની પરમિશન મેળવીને જમીન ગિરવે મૂકીને કોર્પોરેટ ગેરન્ટી આપવાની વ્યવસ્થા કરી હતી. જિયોને આ કોર્પોરેટ ગેરન્ટી પર ભરોસો નથી. આથી તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ પાસે વચન માંગ્યું છે કે જો આર.કોમની કોર્પોરેટ ગેરન્ટી અપૂરતી હોય તો જિયો પાસે તે વસૂલવામાં આવશે નહિ.
કોઈકે તો જવાબદારી લેવી જ રહીઃ

ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું, “બંનેમાંથી કોઈએ તો આ બાકી લેણાની રકમની જવાબદારી સ્વીકારવી જ પડશે. તેમને આ અંગે પહેલા દિવસથી ખબર હતી. અહીં નિયમો ક્લિયર છે અને અમે જિયોને કોઈ છૂટ આપી શકીએ તેમ નથી.” જો આમ જ થયું તો જિયો-આર.કોમ વચ્ચેની ડીલ ભાંગી પડશે તે નિશ્ચિત છે. હવે જિયો પ્લાન 2 તૈયાર કરી રહ્યો છે. અત્યારે જિયો આર.કોમની એર વેવ્ઝ સ્પેક્ટ્રમના ભાડા પર વાપરી રહ્યું છે. જો ડીલ ફાઈનલ નહિ થાય તો બંનેને અંબાણી બંધુઓને નુકસાન થશે. હાલ પૂરતુ તો બંનેએ પોતાનો જૂનો કરાર છ મહિના માટે 28 જૂન સુધી લંબાવ્યો છે.
અનિલ અંબાણીને ઝટકોઃ

જો ડીલ કેન્સલ થશે તો તે અનિલ અંબાણી માટે મોટો ઝટકો સાબિત થશે. તે આ ડીલથી તેમનું 45,000 કરોડનું દેવુ ઓછું કરવા માંગે છે. ખાસ કરીને 550 કરોડ માંગતી એરિક્સને તો અનિલ અંબાણીને જેલભેગા કરવાની પણ માંગ કરી છે. આથી અનિલ અંબાણી આ દેવુ શક્ય તેટલુ જલ્દી ચૂકવી દેવા આતુર છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VyvIXi
No comments:
Post a Comment