વિદ્યા બાલન પીડાય છે આ બીમારીથી

બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલને ન્યૂ યરના દિવસે બર્થ ડે સેલિબ્રેટ કર્યો. વિદ્યા જલ્દી જ જાણીતા એક્ટર અને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એન.ટી. રામારાવની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મમાં વિદ્યા એન.ટી.આરની પત્નીનો રોલ નિભાવશે. ખૂબસુરત અને નમ્ર સ્વભાવની વિદ્યા OCD એટલે કે ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર નામની મનોવૈજ્ઞાનિક સમસ્યાથી પીડાય છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
પોતાનામાં પણ દેખાય છે ગંદકી

OCD બીમારીમાં મગજમાં સેરોટોનિન નામની ન્યૂરોટ્રાંસમીટરની કમી સર્જાય છે. આ કારણે ઈન્ફેક્શન અને સ્ટ્રેસ થાય છે. આ બીમારીમાં વ્યક્તિને કોઈ એક જ કામ કરવાની ધૂન લાગે છે. વારંવાર એકનું એક કામ કરે છે અને કામ કરીને ભૂલી પણ જાય છે. આ બીમારીમાં રોગીને ખાસ કરીને સફાઈની ધૂન લાગે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને આસપાસ જ નહીં પોતાની જાતમાં પણ ગંદકી દેખાય છે. જો કોઈ ગંદી વસ્તુને અડી જવાય તો દર્દી ત્યાં સુધી હાથ ધોયા કરે છે જ્યાં સુધી તેમનું મગજ રોકે નહીં. ઓબ્સેસિવલ કંપલ્સિવ ડિસઓર્ડર પાછળ આનુવંશિકતા, મગજમાં સેરોટોનિન નામના ન્યૂરોટ્રાંસમીટરની કમી, ઈન્ફેક્શન, સ્ટ્રેસ વગેરે જવાબદાર છે.
ઘરમાં કોઈ જૂતા પહેરીને ફરે તે પસંદ નથી

બોલિવુડ એક્ટ્રેસ વિદ્યાને પોતાની આસપાસ સફાઈ ખૂબ પસંદ છે. જો તેને પોતાની આસપાસ થોડી પણ ધૂળ-માટી દેખાય તો મગજમાં નેગેટિવ હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. જેના કારણે વિદ્યાને એલર્જી થાાય છે. આટલું જ નહીં વિદ્યાને પોતાના ઘરમાં કોઈ જૂતા પહેરીને ફરે તે જરા પણ પસંદ નથી. આ બીમારીના દર્દીઓને ઘરમાંથી બહાર જતી વખતે દરવાજો બરાબર બંધ કર્યો કે નહિ?, લાઈટ-પંખાની સ્વિચ બંધ કરી કે નહીં? ગેસ ચાલુ તો નથી ને? બાથરૂમમાં નળ ખુલ્લો તો નથી રહી ગયો ને? વગેરે જેવી શંકાઓ થયા કરે છે.
ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડરના લક્ષણો

– ઓસીડી પીડિત સામાન્ય રીતે સફાઈ અને વારંવાર હાથ ધોયા કરે છે. શંકા અને ડર તેમના મનમાં રહ્યા કરે છે. આ દર્દીઓમાં કેટલીક સંખ્યાઓ, રંગ અને વ્યવસ્થા પ્રત્યે અંધશ્રદ્ધા રહેલી હોય છે.
– બેક્ટેરિયા અને ગંદકીના સંપર્કમાં આવવાથી અથવા અન્યોને દૂષિત કરવાનો ભય રહે છે.
– સતત ડર લાગવો. દરેક બાબતે ડર અનુભવવો. જેમકે, ઘરમાં કોઈ બહારનું વ્યક્તિ તો નથી ઘૂસી આવ્યું ને?
– આ દર્દીઓને કોઈ બીજાને નુકસાન પહોંચાડવાનો પણ ડર લાગે છે.
– ધર્મ અને નૈતિક વિચારો પ્રત્યે ગાંડાની માફક ધ્યાન આપવું. કોઈ વસ્તુને ભાગ્યશાળી કે દુર્ભાગ્યશાળી માનવાનો અંધવિશ્વાસ.
– વસ્તુઓને વિના કારણે વારંવાર ચકાસવી. જેમકે, તાળું કે કોઈ ઉપકરણો. ભંગાર વસ્તુઓ એકઠી કરવી. જેમકે, જૂના ન્યૂઝ પેપર, ખાલી ડબ્બા, તૂટેલી વસ્તુઓ વગેરે.
ઉપાય

એવી દવાઓ મળે છે જેનાથી મગજની કોશિકાઓમાં સેરોટોનિનની માત્રા વધે છે. ડોક્ટર ઘણી વખત સારવાર દરમિયાન આ દવાઓ લેવાની સલાહ આપે છે. જે લાંબા સમય સુધી લેવાની હોય છે. ક્યારેક સ્ટ્રેસ દૂર કરવાની દવા પણ આપવામાં આવે છે. સાથે જ બિહેવિયર થેરપીની મદદ લઈ શકાય છે. જે અંતર્ગત દર્દીને શાંત રાખતા વ્યાયમ શીખવવામાં આવે છે. બિહેવિયર થેરપીમાં વિચારમુક્ત થવાની કેટલીક ટેક્નિક પણ શીખવાય છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2C2FfwI
No comments:
Post a Comment