ભારતની જીત બાદ કોહલીએ શું કહ્યું

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતે સરળતાથી જીત મેળવી લીધી. મેચ બાદ કોહલીએ ટીમની પ્રશંસા કરી અને વર્લ્ડકપથી પહેલા કઈ ખામીઓ દૂર કરવા પર ધ્યાન આપવું પડશે તેની ચર્ચા કરી. કોહલીએ માન્યું કે ટીમ ઈન્ડિયાએ ઉમ્મીદથી ઓછા રન બનાવ્યા, પરંતુ તેમ છતાં બોલર્સના કારણે મેચ જીતી. તેના પર કોહલીએ ખુશી વ્યક્ત કરી. કેપ્ટને કહ્યું કે આવનારી મેચમાં ટીમ વધારે રન બનાવવાનો પ્રયાસ કરશે. જેના કારણે બોલર્સ મુ્ક્તપણે બોલિંગ કરી શકે.
બેટિંગમાં સુધારાની જરૂર

મેચ બાદ કોહલીએ કહ્યું, અમારું પ્રદર્શન ઠીક રહ્યું. ન્યૂઝીલેન્ડની બેટિંગનો જોતા 325 રનનો સ્કોર મોટો ન કહી શકાય પરંતુ તેમ છતાં અમારું પ્રદર્શન ઠીક રહ્યું. પહેલી ઈનિંગના બીજા ડ્રિંક બાદ મેં થોડું રિસ્ક લેવાનો પ્રયાસ કર્યો. મારો પ્લાન હતો કે 34-40 ઓવર વચ્ચે સારા રન કરાય, જેથી અમે 340-350 સુધી પહોંચી શકીએ. પરંતુ હું આઉટ થઈ ગયો અને નવા બેટ્સમેનને આવવું પડ્યું અને તેને પણ સેટ થવા સમય જોઈએ.
વર્લ્ડકપ જીતવા માટે આવો છે પ્લાન

આગામી વર્લ્ડ કપ 2019નો ઉલ્લેખ કરતા કોહલીએ કહ્યું, વર્લ્ડકપ પહેલા અમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે. આગામી મેચોમાં અમે 15-20 રન વધારે બનાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ તેની સાથે સાથે એક બેલેન્સ ટોટલ બનાવવા પર પણ અમારી નજર રહેશે. ભારતની બોલિંગ વિશે વાત કરતા વિરાટે આગળ કહ્યું કે, જો 15-20 રન વધારે બનાવિશું તો અમારા બોલર્સ એવી બોલિંગ નહીં કરે કે 40 રન સુધી કોઈ વિકેટ ન મળે. પરંતુ એવી બોલિંગ કરવાનો પ્રયાસ કરશે કે 60 રન જાય પરંતુ 3 વિકેટ મળે. આવનારા સમયમાં આમારું માઈન્ડસેટ આ પ્રકારનું જ રહેશે.
દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
Our victory lies in standing together. Happy republic day to all my fellow Indians. Jai Hind
pic.twitter.com/bKs9FjQh5H
— Virat Kohli (@imVkohli) January 26, 2019
આ ઉપરાંત વિરાટ કોહલીએ મેચમાં જીત મળ્યા બાદ ટીમ સાથેની તસવીર પોસ્ટ કરીને દેશવાસીઓને 70મા ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – I Am Gujarat http://bit.ly/2Mykeie
No comments:
Post a Comment