મેરઠઃ 11મી એપ્રિલથી 17મી લોકસભા ચૂંટણી થવાની છે, આ ચૂંટણી પહેલા રાજકારણમાં જબરજસ્ત ગરમાવો આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના પ્રચારની તૈયારીઓ શરુ કરી દીધી છે જેમાં રાહુલ ગાંધી બાદ આજે વડાપ્રધાન મોદીએ પ્રચારનો પ્રારંભ કર્યો છે જેમાં તેઓ આજે મેરઠથી મોદીએ ચૂંટણી અભિયાનનો શંખનાદ ફૂંક્યો છે. મોદીએ કટાક્ષ કર્યો છે કે, જે લોકો 70 વર્ષ સુધી ગરીબોના બેંકમાં ખાતા ના ખોલાવી શક્યા તેઓ હવે બેંકમાં રુપિયા નાખવાની વાત કરે છે.
PM Modi at a rally in Meerut, "Kya humein saboot chahiye ya sapoot chahiye? Mere desh ke sapoot hi mere desh ke sabse bada saboot hai. Jo saboot maangte hain woh sapoot ko lalkaarte hain." pic.twitter.com/7r7ltTk5jR
— ANI UP (@ANINewsUP) March 28, 2019
વડાપ્રધાન મોદીએ પ્રચાર દરમિયાન સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માગણી અને ગરીબોને નક્કી આર્થિક મદદની વાતને મુખ્યો મુદ્દો બનાવીને કોંગ્રેસને આડે હાથ લીધી. મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવાના મુદ્દા પર બોલ્યા, “હું 130 કરોડ દેશવાસીઓને પૂછવા માગું છું કે, તમારે સબૂત જોઈએ છે કે સપૂત જોઈએ છે. જે સબૂત માગે છે તેઓ સપૂતને લલકારે છે.” મોદીએ એમ પણ કહ્યું કે “જો 26 ફેબ્રુઆરીએ અમારી સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તેમાં કોઈ ચૂક થઈ હોત તો આ લોકો મારું રાજીનામું માગી લેતા, પૂતળા સળગાવતા.” મોદીએ પોતાના ભાષણ દરમિયા વન રેંક વન પેન્શન (OROP)નો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું- “લગભગ 4 દાયકાથી આપણા સૈનિકો વન રેંક વન પેન્શન માંગી રહ્યા હતા, તેને પૂર્ણ કરવાનું કામ પણ આ ચોકીદારે કર્યું છે. દેશમાં લગભગ 12 કરોડ ખેડૂતોને 75 હજાર કરોડ રુપિયાની સીધી વાર્ષિક સહાય આપવાનું કામ પણ અમારી સરકારે કર્યું છે.”
PM Narendra Modi addressing a public rally in Meerut: 5 years ago, when I sought your blessings, you gave me a lot of love. I had said that I will return the blessings & the love with interest, & I had also said that I will give account of the work that I have done pic.twitter.com/kNltJwvnPb
— ANI UP (@ANINewsUP) March 28, 2019
આતંકવાદના મુ્દ્દા પર વાત કરીને મોદી બોલ્યા, “દિલ્હીમાં 2014માં પહેલા મહામિલાવટી લોકોની સરકાર હતી. આ લોકો આતંકીઓને બચાવતા હતા. આજે સ્થિતિ એવી છે કે, જે લોકો થોડા સમય પહેલા ચોકીદારને પડકાર ફેંકતા હતા તેઓ આજે રડે છે. મોદીએ પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને કેમ માર્યું, આતંકીઓઆ અડ્ડા નષ્ટ શા માટે કર્યા, આ વાતો પર રડે છે.”
મોદીએ ભારતના વૈજ્ઞાનિકોએ એન્ટી-સેટેલાઈટ મિસાઈલમાં મેળવેલી સફળતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “જમીન હોય, આકાશ હોય, કે પછી આંતરિક્ષ સર્જિકલ સ્ટ્રાઈકનું સાહસ તમારા આ ચોકીદારની સરકારે કરીને જોયું છે.”
#WATCH PM: Kuch buddhiman log aise hain, jab kal main A-SAT ki baat karta tha wo confuse ho gaye, samjhe main theatre ke set ki baat kar raha hu. Ab aise buddhiman logon par roye ya hasein, jinko theatre ka set aur antriksh mein Anti-Sattelite mission, A-SAT ka smjh tak nahi hai pic.twitter.com/D0dPbcwBwL
— ANI UP (@ANINewsUP) March 28, 2019
મોદીએ રાહુલ ગાંધીના થિયેટર દિવસની શુભેચ્છાવાળા નિવેદનનો જવાબ આપીને કહ્યું- “કોઈ થિયેટરમાં નાટક જોવા જાય છે તો ત્યાં શું જોવા મળે છે? ત્યાં સેટ શબ્દ ઘણો જ કોમન હોય છે. આ શબ્દ ત્યાં વારંવાર ઉપયોગમાં લેવાય છે. કેટલાક બુદ્ધિશાળી લોકો એવા છે કે જ્યારે હું A-SATની વાત કરતો હતો, તો કન્ફ્યુઝ થઈ ગયા. સમજ્યા કે હું થિયેટરના સેટની વાત કરું છું. હવે આવા બુદ્ધિમાન લોકો પર રડીએ કે હસીએ. જેમને થિયેટરના સેટ અને અંતરિક્ષ સાથે જોડાયેલી એન્ટી સેટેલાઈટ A-SATની સમજ નથી.”
કોંગ્રેસ દ્વારા ગરીબ પરિવારોને મહિનાની નિશ્ચિત રકમ આપવાની યોજના બનાવી છે ત્યારે વડાપ્રધાન મોદીએ મેરઠમાં આ મુદ્દે કટાક્ષ કરીને કહ્યું- “જે લોકો 70 વર્ષ સુધી દેશના ગરીબોના બેંક ખાતા ના ખોલાવી શક્યા તે લોકો કહે છે કે અમે તમારા ખાતામાં રુપિયા નાખીશું.” મોદીએ પોતાના કામના હિસાબની વાત કરીને કહ્યું- “5 વર્ષ જ્યારે મે તમારા બધાના આશીર્વાદ માગ્યા હતા તો તમારો ભરપૂર પ્રેમ મળ્યો હતો, મે કહ્યું હતું કે તમારા પ્રેમને વ્યાજ સાથે પાછો આપીશ અને જે કામ કર્યું છે, તેનો હિસાબ આપીશ અને હું બીજાનો હિસાબ પણ લઈશ.”
આ સાથે મોદીએ વિરોધીઓના ગઠબંધન પર પણ ટોણો માર્યો અને ભૂતકાળ યાદ કરાવીને કહ્યું- “એસપીના સાશનમાં શેરડીના ખેડૂતોને પોતાના રુપિયા મેળવવા માટે અપમાનિત થવું પડ્યું હતું. એસપી સરકારે શેરડીના ખેડૂતોના 35 હજાર કરોડથી વધારે યોગીજી માટે છોડ્યા હતા, જેને હવે ચૂકવી દેવામાં આવ્યા છે.”
from Page Array – I Am Gujarat https://ift.tt/2HTqX64
No comments:
Post a Comment