સોનાક્ષીનો ઘટસ્ફોટ

બીટાઉનમાં રિલેશનશિપના મામલે હાલ રણબીર-આલિયા, વરુણ નતાશા અને અર્જુન-મલાઈકાની જોડી સતત ચર્ચામાં રહે છે. પોતાના રિલેશનશિપને લઈને આ સેલેબ્સ પણ ઘણા સીરિયસ છે, તેવામાં તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરી લે તેવી શક્યતા છે. આ વચ્ચે સોનાક્ષી સિન્હાએ પણ પોતાના લગ્નને લઈને ઘટસ્ફોટ કર્યો છે તેણે કહ્યું કે તે વરુણ અને આલિયા પહેલા લગ્ન કરી લેશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘વરુણ-આલિયા પહેલા લગ્ન કરીશ’

આલિયા, વરુણ અને સોનાક્ષી પોતાની અપકમિંગ ફિલ્મ ‘કલંક’ના પ્રમોશન માટે એક રિયાલિટી શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાક સવાલોના જવાબ આપવાના હતા. લગ્નના એક સવાલ પર જવાબ આપતા સોનાક્ષીએ કહ્યું કે, ‘હું વરુણ ધવન અને આલિયા ભટ્ટ પહેલા લગ્ન કરી લઈશ તે તો નક્કી જ છે’.
‘હવે સેટલ થઈ જવું છે’

સોનાક્ષી સિન્હાનો આ જવાબ સાંભળી આલિયા, વરુણ અને શોના જજને પણ આશ્ચર્ય થયું હતું. તેમણે સોનાક્ષીને જ્યારે તેના રિલેશનશિપ વિશે જણાવવા કહ્યું ત્યારે એક્ટ્રેસે કહ્યું કે તે બસ આલિયા અને વરુણ પહેલા લગ્ન કરવા માગે છે અને લગ્નજીવનમાં સેટલ થઈ જવા તૈયાર છે.
‘મારા માટે સારો છોકરો શોધો’

સોનાક્ષી સિન્હાએ મજાક કરતા ત્યાં ઉપસ્થિત બધાને તેના માટે એક સારો છોકરો શોધવા માટે પણ કહ્યું, જેથી તે જલ્દીથી લગ્ન કરી શકે. સોનાક્ષી સિન્હાએ શોમાં પોતાને સિંગલ બતાવી હતી. જ્યારે આલિયા રણબીરને ડેટ કરી રહી છે. તો વરુણ નતાશા દલાલ સાથે રિલેશનમાં છે અને તેઓ જલ્દીથી લગ્ન કરી લે તેવી શક્યતા છે. આલિયા અને વરુણ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઓપન છે.
17 એપ્રિલે રિલીઝ થશે ‘કલંક’

ફિલ્મની વાત કરીએ તો કલંકમાં સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં આલિયા, વરુણ, સોનાક્ષી સિવાય માધુરી દીક્ષિત અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિષેક વર્મને ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2FP7l1L
No comments:
Post a Comment