અનોખું છે આ મંદિર

ઈન્દોરથી 30 કિલોમીટર દૂર આવેલ સાંવેર નામના ગામમાં હનુમાનનું મંદિર આવેલું છે. અહીં હનુમાન ઊંધા ઊભા રહ્યા છે. વિશ્વમાં આ એક જ મંદિર છે જ્યાં હનુમાનની પ્રતિમા ઊંધી હોય. આ અલગ પ્રકારના હનુમાનના દર્શન કરવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવે છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
અહીં હનુમાનની પ્રતિમા છે ઊંધા માથે

આ મંદિરમાં હનુમાનની સાથે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને ભગવાન શંકર પાર્વતીની મૂર્તિ પણ આવેલી છે. માન્યતા છે કે કોઈ વ્યક્તિ અહીં સળંગ 3 કે 5 મંગળવાર હનુમાનના દર્શન કરવા આવે તેમના દરેક દુઃખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે.
રામાયણ કાળની કથા સાથે જોડાયેલું છે મંદિર

આ મંદિરમાં દર મંગળવારે હનુમાનને ચોળા ચઢાવવાની પણ પ્રથા છે. મંદિરમાં આવેલી હનુમાનજીની પ્રતિમાને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. ત્યારે અહીં હનુમાનની પ્રતિમા ઊંધી શા માટે તેની પાછળ રામાયણ કાળની એક પૌરાણિક કથા પણ છે.
રામ-રાવણના યુદ્ધ સમયની વાત

આ કથા મુજબ રામાયણ કાળમાં ભગવાન શ્રીરામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું. ત્યારે આ રાવણે છદ્મ માયાથી પોતાનું રૂપ બદલીને રામની સેનામાં પ્રવેશ કરી લીધો અને જ્યારે બધા સુઈ ગયા ત્યારે રાતના સમયે રાવણે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણનુ અપહરણ કરી પોતાની સાથે પાતાળલોકમાં લઈ ગયો.
આ કારણે ઊંધા માથે થઈ ગયા હનુમાન

સવારે વાનરસેનાને આ વાતની ખબર પડી તો ચારે બાજુ હાહાકાર મચી ગયો. હનુમાન ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને શોધતા પાતાળલોક પહોંચ્યા પોતાની સાથે પાછા લાવ્યા. માન્યતા મુજબ સાંવેર જ એ જગ્યા છે જ્યાંથી હનુમાને પાતાળમાં પ્રવેશ કર્યો હતો. જેથી પાતાળમાં પ્રવેશ કરતી વખતે હનુમાનનું માથું જમીન તરફ અને પગ ઉપર આકાશ તરફ હતા આ કારણે અહીં તેમની ઊંધી પ્રતિમા આજે પણ સ્થાપિત છે અને પૂજા થાય છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2U5o35y
No comments:
Post a Comment