Latest

Wednesday, March 27, 2019

ચાંદીના સિક્કાને વિધિ કરીને નારિયળની અંદર આ રીતે મુકી દો, થઈ જશો માલામાલ

એક પ્રયોગ તમારી બધી આર્થિક સમસ્યાનું સમાધાન

આજના સમયમાં જો સૌથી પ્રિય કોઈ વસ્તુ બધાને હોય તો તે રુપિયા છે. રુપિયાને માટે કોઈને સંતોષ નથી હોતો દરેક વ્યક્તિ પોતાના પાસે હોય તેના કરતા વધારે મેળવવા માગે છે. પરંતુ એવી કોઈ ગેરંટી નથી કે તમે આજે કમાયેલ રુપિયો ભવિષ્યમાં પણ તમારી પાસે એટલો જ પડ્યો રહેશે. જોકે શાસ્ત્રોમાં કેટલાક પ્રયોગ કહ્યા છે જેને કરવાથી ક્યારેય જીવનમાં રુપિયાની અછત વર્તાતી નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

તમે કલ્પના નહીં કરી હોય તેવી જગ્યાએથી ધન આવવાનું શરું થશે

આ પ્રયોગથી ઘરમાં વધુને વધુ રુપિયા આવવાના રસ્તાઓ ખુલતા જશે. માતા લક્ષ્મી ધનના દેવી છે. જો તે પ્રસન્ન હોય કોઈ વ્યક્તિ પર તો પછી ગમે તેટલા ગ્રહોના દુષ્પ્રભાવ વચ્ચે પણ તે વ્યક્તિ પાસે ક્યારેય ધનની અછત રહેતી નથી. સામાન્ય રીતે આ પ્રયોગ તમે સપ્તાહના કોઈપણ દિવસે કરી શકો છો પરંતુ જો ખાસ કરીને શુક્રવારે કરવામાં આવે તો સૌથી વધુ ફાયદો મળે છે. બસ એક વસ્તુ માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દો અને આજીવન તમારા પર રુપિયાનો વરસાદ થતો રહેશે.

પ્રયોગીની વિધિ

સૌથી પહેલા તો માં લક્ષ્મીને પ્રિય એવું એક પૂજાનામાં ઉપયોગી શ્રીફળ લો. હવે આ શ્રીફળને બરોપર વચ્ચેથી અડધું થાય તેમ તોડો. આ નારિયળમાં વચ્ચે એક સિક્કો રાખી દો. જોકે આ સિક્કો ચાંદીનો જ હોવો જોઈએ તેવું નથી. તમે ચાંદી કે પછી સામાન્ય સિક્કો પણ રાખી શકો છો. હવે આ નારિયળને ફરીથી જોડી દો. નારિયળને જોડવા માટે તમે લાલ રંગની નાડાછડીનો ઉપયોગ કરી શકો છો.

જાણે રુપિયાનો વરસાદ થતો હોય તે રીતે વધશે આવક

આ નારિયળને પૂર્ણરુપે નાડાછડી દ્વારા લપેટી દો. હવે નારિયળ પર કંકુ, અબીર, હળદળ અને ચોખા પધરાવા પૂજા કરો પછી આ નારિયળને માતા લક્ષ્મીના ચરણોમાં પધરાવી દો. બીજા દિવસે સવારે પૂજા કર્યા બાદ આ નારિયળને ખોલીને તેનો પ્રસાદ ઘરના તમામ લોકોએ લઈ લેવો અને સિક્કાને ઘરની તિજોરીમાં રાખી દો. તમારા ઘરમાં ક્યારેય રુપિયાની અછત નહીં રહે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2TYhO3j

No comments:

Post a Comment

Pages