Latest

Wednesday, March 27, 2019

જો પગમાં આવી રેખા હશે તો તમારા પર થશે પૈસાનો વરસાદ

તમારા પગમાં આવી રેખા છે?

સમુદ્ર શાસ્ત્રમાં વ્યક્તિના અંગોને ભવિષ્યવાણી માટે એક સારૂ માધ્યમ ગણવામાં આવે છે. અંગોના રૂપ-રંગને જોઈને ભવિષ્યવાણી કરવામાં આવે તેને સમુદ્ર શાસ્ત્ર કહેવાય છે, તમારા પગ પરથી તમારૂ ભવિષ્ય કેવું રહેશે તે જાણી શકાય છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

માંસલ પગ

કોઈ પણ વ્યક્તિના પગ માંસલ હોય અથવા તો પછી કાચબાની પીઠની જેમ ઉપસેલા હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રકારના પગ ધરાવતા લોકોને પૈસાની તંગી રહેતી નથી.

પગની આંગળીઓ આવી હોય

જે વ્યક્તિના પગની આંગળીઓ ચોંટેલી હોય, નખ સુંદર હોય, એડી ગોળ હોય, આવા લોકો ખાસ કરીને મહિલાઓના નસીબ સારા હોય છે.

પગના તળીયાનો રંગ પીળો હોય

જો કોઈ વ્યક્તના પગના તળીયાનો કલર પીળો હોય તે તેનામાં કામ ભાવ વધારે હોય છે. આવા લોકો વિશે કહેવાય છે કે તેમનામાં વાસના વધારે હોય છે. તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ રહેતું નથી.

પગ વચ્ચેથી ઉપસેલો હોય

જો કોઈ વ્યક્તિનો પગ વચ્ચેથી ઉપસેલો હોય તો તેઓ હરવા-ફરવાના શોખીન હોય છે, આ પ્રકારના લોકો વધારે ટ્રાવેલિંગ કરે છે.

પગના તળીયામાં આવી રેખા હોય

જે વ્યક્તિના પગના તળીયાની રેખા સ્પષ્ટ, સરળ, નિર્દોષ અને એડી તર્જની સુધી હોય તેઓ વધારે ભાગ્યશાળી હોય છે, તેમના પર રૂપિયાનો વરસાદ થતો રહે છે.

પગનો અંગૂઠો આવો હોય

જો કોઈ વ્યક્તિનો અંગૂઠો ગોળ હોય તો તેને શુભ ગણવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપા તેમના પર વરસતી રહે છે.

આવો અંગૂઠો ગણાય છે અશુભ

જો પગનો અંગૂઠો વધારે મોટો કે નાનો હોય તેમજ નસો દેખાતી હોય તો તે અશુભ ગણવામાં આવે છે. આ સિવાય આડો અથવા વળેલો અંગૂઠો પણ અશુભ ગણાય છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2V3XrOZ

No comments:

Post a Comment

Pages