Latest

Wednesday, March 27, 2019

દેશમાં બેરોજગારી બાબતે ધ્યાન અપાતું નથી: રઘુરામ રાજન

68590683

નવી દિલ્હી:રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ચેરમેન રઘુરામ રાજને મંગળવારે જણાવ્યું હતું કે, “તેમને ચિંતા છે કે દેશમાં બેરોજગારી અંગે પૂરતું ધ્યાન અપાતું નથી. સારી નોકરી માટે ભારે ભૂખ છે. આપણી નોકરીનો આંકડો છેલ્લા ઘણા વખતથી નબળો રહ્યો છે. મજબૂત આંતરિક અર્થતંત્ર એ રાષ્ટ્રીય સલામતીનું કેન્દ્ર છે.”

પોતાના નવા પુસ્તક ‘ધ થર્ડ પિલ્લર’ અંગે એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં રાજને સરકારને સલાહ આપી હતી કે તેણે વિવાદાસ્પદ નોટબંધી જેવા તેના કેટલાક નિર્ણયો અંગે આત્મમંથન કરવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે, “નોટબંધીની દિશામાં પાછા જોવા માટે પૂરતો સમય પસાર થઈ ગયો છે. આનાથી આપણને શું શીખ મળી છે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો? શું આ કારગત નીવડ્યું કે નથી? આના હકારાત્મક અને નકારાત્મક બાબતો શું રહી હતી? સારા સંચાલન અને અસરકારકતા માટે દરેક સરકારે સ્વ-ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.”

નોકરીઓના અભાવ અંગે પુછાયેલા એક સવાલના જવાબમાં રાજને કહ્યું હતું કે વિશ્વસનીય આંકડાકીય માહિતીની જરૂર છે, ડેટાની ગુણવત્તા અંગેની ફરિયાદો અથવા ‘ભેદભાવ’ના આરોપો મામલે રાજને આ વાત કરી હતી. એ પ્રકારની હતાશાને જોતાં આ જરૂરી છે કે આપણે વિશ્વને જણાવીએ કે અમે કોઈની સાથે ચેડાં નથી કરી રહ્યા… આ અમારો ડેટા છે અને તેમાં દેખરેખ માટે ખરેખર એક સ્વતંત્ર જૂથ હોવું જોઈએ અને આપણો ડેટા ખરેખર સારો છે તેનું સર્ટિફિકેશન અથવા જરૂરી ફેરફારોના સલાહ સૂચન મળવા જોઈએ તેમ રાજને કહ્યું હતું.

હાલમાં ભારતનો મહત્ત્વનો મુદો રોજગાર સર્જનનો અભાવ છે, જેની પ્રતીતિ પશ્ચિમના દેશોમાં પણ દેખાય છે તેમ જણાવતાં રાજને કહ્યું હતું કે અમે નોકરીઓ અંગેના આંકડાની એકત્ર કરવાની ગુણવત્તા સુધારવી જોઈએ.



from Page Array – I Am Gujarat https://ift.tt/2TyquZb

No comments:

Post a Comment

Pages