અમદાવાદ: એસટી નિગમે મોટા ઉપાડે શરુ કરેલી ખૂબ જ લાંબા રુટની બસોના રુટ પેસેન્જરો ન મળતા ટૂંકાવવા પડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હજુ થોડા સમય પહેલા જ શરુ થયેલી અમદાવાગ-ગોવા બસ સર્વિસને હવે ખાસ ડિમાન્ડ ન હોવાના કારણે તેને કોલ્હાપુર સુધી ટૂંકાવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત, અમદાવાદથી વારાણસી વચ્ચે શરુ થયેલી બસ સર્વિસનું પણ બાળમરણ થયું છે.
કુંભ મેળા વખતે અમદાવાદથી વારાણસી વચ્ચે શરુ કરાયેલી બસને રોજના માંડ દસેક પેસેન્જર મળતા હતા. જેના લીધે બસને વારાણસીને બદલે કાનપુર સુધી ટૂંકાવી દેવાઈ હતી. જોકે, કાનપુર જવા પણ લોકો બસનો ખાસ ઉપયોગ ન કરતા હોવાના કારણે હવે આ બસને જ બંધ કરી દેવાની વિચારણા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી વારાણસી જતી એસી બસનું ભાડું રુ. 3800 હતું, જ્યારે ગોવા જવા માટે 3400 રુપિયાની ટિકિટ ખરીદવી પડતી હતી. પ્લેનમાં જવાના ભાડાં કરતાં પણ બસની ટિકિટ મોંઘી હોવાના કારણે આ સર્વિસ ફ્લોપ જશે તેવી આશંકા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જે આખરે સાચી પડતી પણ દેખાઈ રહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2uxKfWP
No comments:
Post a Comment