અશ્વિનની ‘માંકડ વિકેટ’, IPLમાં વિવાદની શરૂઆત

સોમવારે IPL 2019ની ચોથી મેચમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટક્કર થઈ. આ મેચમાં પંજાબે 14 રનથી જીત મેળવી. પંજાબે પ્રથમ બેટિંગ કરતા ગેઈલના 79 રનની મદદથી 4 વિકેટે 184 રન બનાવ્યા જેની સામે રાજસ્થાન 20 ઓવરમાં 9 વિકેટે 170 રન જ બનાવી શકી. એક સમયે રાજસ્થાન સરળતાથી મેચ જીતી લે તેવું લાગતું હતું પણ અશ્વીને જોઝ બટલર (69)ની ‘માંકડ વિકેટ’ લઈ મેચ પલટી નાખી, આ વિકેટને કારણે પંજાબ મેચ તો જીતી ગયું પણ સોશિયલ મીડિયા પર તેને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શું હતી આખી ઘટના

રાજસ્થાન પંજાબના 185 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને જીત તરફ આગળ વધી રહી હતી. ક્રિઝ પર સ્ટીવ સ્મિથ અને જોસ બટલર હતા. અશ્વિન રાજસ્થાનની ઈનિંગની 13મી ઓવર ફેંકી રહ્યો હતો. ઓવરનો પાંચમો બોલ ફેંકવા જઈ રહેલા અશ્વિને નોંધ્યું કે, તેને એક્શન કરી તે પહેલા જ નૉન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલો બટલર ક્રિઝની બહાર નીકળી ગયો છે. તેણે તરત બેલ્સ ઉડાવી દીધી અને એમ્પાયર લાંબા વિચાર-વિમર્શ બાદ બટલરને આઉટ જાહેર કર્યો.
બટલરની વિકેટથી પલટાઈ ગઈ મેચ

બટલર જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. તેણે 43 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. તે આ રીતે આઉટ થયા બાદ ખૂબ ગુસ્સે ભરાયો હતો. ક્રિકેટની ભાષામાં આને ‘માંકડ વિકેટ’ કહેવામાં આવે છે. અશ્વિનની આ સમજદારીને કારણે મેચ પલટાઈ ગઈ અને અંતે પંજાબનો 14 રને નાટ્યાત્મક વિજય થયો. જોકે, અશ્વિનની આ હરકતથી કેટલાક ક્રિકેટ ફેન્સ નારાજ છે અને તેની નિંદા કરી રહ્યાં છે તો વળી કેટલાક આને તેની સમજદારી કહી પ્રશંસા પણ કરી રહ્યાં છે.
અશ્વિને કંઈ ખોટું કર્યું નથી : હર્ષા ભોગલે
I am hearing a lot of talk about spirit of the game. This law specifically came in because, taking recourse to this very "spirit of the game" batsmen were running 6 inches less to complete a run.
— Harsha Bhogle (@bhogleharsha) March 25, 2019
Nothing in the laws though about warning. Just as there is nothing in the laws about a wicket keeper warning a batsman for being out of the crease and not stumping him https://t.co/OqYypMiRIQ
— Harsha Bhogle (@bhogleharsha) March 25, 2019
ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર હર્ષા ભોગલેએ આ ઘટના અંગે ટ્વીટ કરતા કહ્યું કે, ‘અશ્વિને કંઈ ખોટું કર્યું નથી. તે સ્પિરિટ ઑફ ધ ગેમને તોડી નથી. ઉલ્ટાનું બેટ્સમેન માટે તમે આવું કહી શકો, કારણ કે તે બોલ ફેંકાય તે પહેલા જ ક્રિઝની છ ઈંચ બહાર છે જેથી તેને એટલું ઓછું દોડવું પડે.’
શું અશ્વિને બટલરને ચેતવવો જોઈતો હતો?
Lets make it straight… @ashwinravi99 should have warned @josbuttler at least once … what he did may be right by the laws but surely not in the spirit of the gentleman's game at all… he will be remembered for this for a long time #Mankad https://t.co/actYkDqjjU
— Ashish Pandey (@iap92) March 26, 2019
ઘણા લોકો અશ્વિનને એ રીતે વખોડી રહ્યાં છે કે, તેણે ભલે બટલરને નિયમ મુજબ રનઆઉટ કર્યો હોય પણ તેણે આવું કરતા પહેલા એકવાર બટલરને ચેતવણી આપવાની જરૂર હતી કે, તે એક્શન પહેલા જ ક્રીઝની બહાર નીકળી રહ્યો છે.
2012માં સેહવાગે શું કર્યું હતું?

આ પહેલીવાર નથી જ્યારે અશ્વિને આ રીતે ‘માંકડ વિકેટ’ લેવાનો પ્રયત્ન કર્યો હોય. અગાઉ 2012માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રિકોણીય સીરિઝમાં ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં પણ અશ્વિને થિરિમાનેને આ રીતે આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. નિર્ણય થર્ડ-એમ્પાયર પાસે ગયો તે દરમિયાન મેચમાં ધોનીને સ્થાને કેપ્ટનશિપ સંભાળી રહેલા વીરેન્દ્ર સેહવાગે સચિન સાથે ચર્ચા કરી અપીલ પાછી ખેંચી લીધી હતી. મેચ બાદ તેણે કહ્યું હતું કે, ‘અમે અપીલ પાછી ન ખેંચી હોત તો તે રમત ભાવનાની વિરુદ્ધ લાગત.’
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2Wo8ant
No comments:
Post a Comment