Latest

Thursday, March 28, 2019

પંજાબી શાક માટે આ રીતે બનાવો યલો ગ્રેવી, હોટેલ જેવો જ ટેસ્ટ આવશે 👌

આ રીતે બનાવો યલો ગ્રેવી

હાલ લોકો ગુજરાતી ખાવાનું છોડી પંજાબી તરફ વળ્યા છે. તમે પણ હોટેલમાંથી પંજાબી શાક મગાવતા હશો અથવા તો ઘરે બનાવતા હશો. ઘરે પંજાબી શાક બનાવીએ ત્યારે એવું બને કે હોટેલ જેવો ટેસ્ટ આવતો નથી. તો હવે ચિંતા ન કરો. અમે તમને પંજાબી શાક માટે યલો ગ્રેવી બનાવવાની રીત શીખવી રહ્યા છીએ. આ સ્ટાઈલથી ગ્રેવી બનાવશો તો હોટેલ જેવો જ ટેસ્ટ આવશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સામગ્રી

એક નંગ સમારેલી ડુંગળી
બે નંગ સમારેલા ટામેટાં
બે ચમચી બટર
એક ચમચી તેલ
બે તમાલપત્રના પાન
બે નંગ તજના ટુકડાં
ત્રણ નંગ લવિંગ
બે નંગ સુકા લાલ મરચાં
એક ચમચી આદુ-મરચાની પેસ્ટ
એક ચમચી ક્રશ કરેલા સુકા ધાણા
એક ચમચી ધાણાજીરું પાઉડર
એક ચમચી લાલ મરચું પાઉડર
સ્વાદાનુંસાર મીઠું

ગ્રેવી બનાવવા માટે

સૌ પ્રથમ એક પેન લો. પેન ગરમ થાય એટલે તેમાં બટર અને તેલ ઉમેરી ગરમ થવા દો. તેલ ગરમ થઈ એટલે તેમાં તમાલપત્રના પાન, તજના ટુકડાં, લવિંગ અને સુકા લાલ મરચાં ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ચડવા દો. હવે તેમાં આદુ-મરચાંની પેસ્ટ, ક્રશ કરેલા સુકા ધાણાં, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ડુંગળી ચડી જાય એટલે તેમા ટામેટાં મિક્સ કરી ચડવા દો. તેમાંથી બટર છુટુ પડવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો.

ગ્રેવી બનાવવા માટે

મિશ્રણ ઠંડુ થઈ એટલે તેમાંથી તમાલપત્રના પાન, તજના ટુકડાં, લવિંગ અને સુકા લાલ મરચાં કાઢી લો. હવે આ મિશ્રણને મિક્સર જારમાં લઈ બારીક પેસ્ટ બનાવી લો. પેસ્ટ બની જાય એટલે તેને ચારણીથી ગાળી લો. તો તૈયાર છે યલો ગ્રેવી.

પનીર બટર મસાલા બનાવવા માટે

એક પેનમાં તેલ અને બટર લઈ ગરમ થવા દો. તેમાં આ યલો ગ્રેવી ઉમેરી થોડી વાર ચડવા દો. ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં તળેલા પનીરના ટુકડાં ઉમેરો અને ચડવા દો. તો તૈયાર છે પનીર બટર મસાલા. હવે તેને કસૂરી મેથી અને ક્રીમથી ગાર્નિશ કરી પરાઠાં સાથે સર્વ કરો. આ રીતથી શાક બનાવવાથી એકદમ હોટેલ જેવો ટેસ્ટ આવશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Fwf82Y

No comments:

Post a Comment

Pages