માઈભક્તોએ લાઈન લગાવી

નરસિંહપુરઃ મધ્ય પ્રદેશ રાજ્યના નરસિંહપુરમાં આવેલા પરમહંસી ગંગા આશ્રમની એક અનોખી તસવીર સામે આવી છે. જેમાં માતાજીને કોઈ ફૂલહારથી નહીં પણ દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો છે. નવરાત્રીના દિવોસમાં દરરોજ માતાજીને જુદા જુદા શણગાર કરવામાં આવે છે. અહીં ભગવતી ત્રિપુરસુંદરી માતાના શણગાર માટે ફૂલ નહીં પણ દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના દર્શન કરવા માટે માઈભક્તોએ લાઈન લગાવી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
108 કિલો દ્રાક્ષ

ગુરુવારે મંદિરના પૂજારીઓએ જણાવ્યું હતું કે, દ્રાક્ષથી માતાજીનો શણગાર કરવામાં આવ્યો છે. લાલરંગના વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે જેની પાછળની તરફ 108 કિલો દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન માટે સવારથી ભક્તોએ લાઈન લગાવી હતી. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીની તપોભૂમી હોવાને કારણે અહીં જુદી જુદી જગ્યાએથી લોકો દર્શન માટે આવે છે. આ પહેલા માતાને સમગ્ર ફૂલનો શણગાર પણ કરવામાં આવ્યો હતો.
અનોખો શણગાર

દ્રાક્ષ સિવાય પણ અહીં માતાને મોરપીંછ, બંગડીઓ, ફ્રૂટ અને માવાની મીઠાઈઓનો શણગાર કરવામાં આવ્યો હતો. આ સિવાય મોતી અને ઝૂમરનો પણ શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન માટે અનેક ભક્તો ઉમટી પડ્યા હતા. નગસિંહપુર જિલ્લના ગોટેગાંવથી 15 કિમીનાં અંતરે આ મંદિર આવેલું છે. અહીં શંકરાચાર્યને સાક્ષાત્કાર થયો હતો. આ પવિત્ર સ્થાનને પાંચમો મઠથી પણ ઓળખવામા આવે છે. આ જ મંદિરની બરોબર પાછળ ચોસઠ યોગીની મંદિર આવેલું છે જે ભારતનું એક માત્ર યોગીની મંદિર છે.
આસપાસનો નજારો

આ મંદિરની આસપાસનો નજારો પણ માણવા લાયક છે. પ્રકૃતિ સૌદર્યની વચ્ચે આવેલું છે આ મંદિર. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે આ જગ્યાનો નજારો માણવા જેવો છે. નવરાત્રીના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળે છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2G8zZJR
No comments:
Post a Comment