Latest

Wednesday, April 17, 2019

ગુજરાતને ખેદાન-મેદાન કરવા કોંગ્રેસે 10 વર્ષ સુધી જે કરવું પડે તે કર્યું: મોદી

હિંમતનગર: સાબરકાંઠામાં આજે જાહેર સભા સંબોધતા પીએમ મોદીએ લોકોને વહેલી સવારમાં જ મતદાન કરી દેવા અપીલ કરવાની સાથે આતંકવાદ, ભ્રષ્ટાચાર તેમજ મજબૂત સરકાર જેવા મુદ્દા પર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. પીએમે જણાવ્યું હતું કે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ લડાઈ છે. ગઈકાલે આવેલી આંધી અને વરસાદને કારણે પીએમના સભા મંડપને મોટું નુક્સાન થયું હતું. જોકે, રાતોરાત નવો મંડપ ઉભો કરી કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો.

હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો

પીએમે લોકોને પૂછ્યું હતું કે, જ્યારે ગુજરાતમાં જનસંઘ કે ભાજપનો ગજ નહોતો વાગતો ત્યારે પણ હિંમતનગરમાં ભાજપનો ગજ વાગતો હતો. વિપક્ષ પર વરસતા મોદીએ જણાવ્યું હતું કે, 10 વર્ષના શાસનમાં ગુજરાતને ખેદાનમેદાન કરવા માટે તેમણે જે કરવું પડે તે કર્યું હતું.

યુપીએ સરકાર પર પ્રહાર કરતા પીએમે કહ્યું હતું કે, આપણો દેશ દુનિયાનો 11મો સૌથી મોટો અર્થતંત્ર ધરાવતો દેશ બન્યો ત્યારે 2013માં નાણાંમંત્રી નાચતા હતા, પરંતુ અમારી સરકારે પાંચ વર્ષમાં દેશને 11મા ક્રમેથી છઠ્ઠા ક્રમે લાવી દીધો. હવે અમારો લક્ષ્યાંક દુનિયાના ત્રણ સૌથી મોટા અર્થતંત્રમાં દેશને લાવવાનો છે.

કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમે કહ્યું હતું કે, ગઈ વખતે કોંગ્રેસ જેટલી બેઠકો પર ચૂંટણી લડી હતી, તેનાથી આ વખતે અડધી બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 2014માં આટલી બેઠકો પરથી ચૂંટણી લડવા છતાં કોંગ્રેસ 40 બેઠકો જીતી શકી, તો આ વખતે તો તેની બેઠકો તેનાથી પણ અડધી થઈ જશે. મહાગઠબંધન પર નિશાન તાકતા મોદીએ કહ્યું હતું કે, આંધ્રપ્રદેશ, બંગાળ એમ દરેક જગ્યાએથી બધાને પીએમ બનવું છે, અને દિલ્હીવાળા તો બેઠા જ છે.

કોંગ્રેસના ગરીબી હટાવોના નારાની ટીકા કરતા પીએમે કહ્યું હતું કે, નહેરુથી લઈને રાહુલ સુધીની ચાર પેઢીઓએ ગરીબી હટાવોની વાતો કરી, પરંતુ દેશનો ગરીબ કહેવા લાગ્યો છે કે જે દિવસે કોંગ્રેસ હટશે તે દિવસે દેશમાંથી ગરીબી ઉભી પૂંછડીએ ભાગશે. પીએમે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધી હતી. 2013-14માં મોંઘવારી મુદ્દો હતો, પરંતુ હવે વિપક્ષો મોંઘવારી પર ચર્ચા જ નથી કરતા.



from I Am Gujarat http://bit.ly/2Php1G2

No comments:

Post a Comment

Pages