Latest

Monday, April 15, 2019

ખાદ્ય પદાર્થોનો ફૂગાવો1991ના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો

ખાદ્ય પદાર્થોનો ફૂગાવો સૌથી નીચલા સ્તરે

નવી દિલ્હી, સુરોજીત ગુપ્તાઃ નાણાકીય વર્ષ 2018-19માં ખાદ્ય ફુગાવો 27 વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલના એક વિશ્લેષણ અનુસાર નાણાકીય વર્ષ 2018-19માં ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI) આધારિત ખાદ્ય ફૂગાવામાં 0.1 ટકાની વૃદ્ધિ થઈ છે. આ પહેલા વાર્ષિક સરેરાશ ખાદ્ય ફૂગાવો છેલ્લે નાણાકીય વર્ષ 1999-2000માં 1 ટકા ગગડ્યો હતો. છેલ્લા 27 વર્ષમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શું કહે છે નિષ્ણાંતો?

અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ખાદ્ય ફૂગાવોમાં આ ડીગ્રેડેશનનું કારણ જંગી માત્રામાં ઉત્પાદન, ઓછી માગ, વૈશ્વિક સ્તર પર કિંમતો ગગડતા અને MSPમાં વધારાની ઓછી અસર એ છે. ક્રિસિલના ચીફ ઈકોનોમિક્સ ડી. કે. જોશીએ જણાવ્યું હતું કે, હું આવું થવા પાછળ બે કારણ હોવાનું જવાબદાર માનું છું. છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે અને વૈશ્વિક સ્તર પર ખાદ્ય પદાર્થોની કિંમત અનુકૂળ રહી છે. મોટા ભાગની ખેત પેદાશોની બજાર કિંમત ઓછી હોવાને કારણે એમએસપીમાં વધારાની અસર ઓછી થઈ છે. આવનારા સમયમાં ખાદ્ય ફૂગાવો વધશે.

ચોમાસા પર આધાર

જોકે, આ તમામ બાબતોનો આધાર ચોમાસા પર રહેલો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ગ્રૂપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યાકાંતિ ઘોષે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય ફૂગાવામાં સતત ઘટાડો નોંધાયો છે. આ બેસ્ટ સપ્લાય મેનેજમેન્ટ, વધુ ઉત્પાદન, ખરીદ કિંમતમાં વધારો અનો માંગ શિફ્ટ થવાને કારણે આવું બન્યું છે. ગત મહિને ફૂગાવાનો દર 0.30 ટકા રહ્યો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં આ દર 0.73 ટકા રહ્યો હતો.

આ કોમોડિટીને સીધી અસર

આ સ્થિતિને કારણે શાકભાજી, ફળ-ફળાદી, કઠોળ અને ખાંડ જેવી કોમોડિટીને સીધી અસર પહોંચી છે. ખાદ્ય પદાર્થોમાં ગત મહિને થયેલા ભાવ વધારાને કારણે અને ઈંધણના ભાવ વધવાને લીધે માર્ચ મહિનામાં આ ટકાવારી વધવા પામી હતી. વર્ષ 2013-14થી ખાદ્ય ફૂગાવો સતત નીચે ગગડી રહ્યો છે. કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, કેટલાક લોકોએ ખાદ્યનો પુરવઠો મોટી માત્રામાં એકઠો કરી લીધેલો છે. તેની આ અસર ઉપજી છે. છેલ્લા બે વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ પાછળનું કારણ સપ્લાય મેનેજમેન્ટ અને પાયાના ઓછા ભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ખાદ્યને અસર કરતા પરિબળ

એજન્સીએ ખાદ્ય પદાર્થને અસર કરતા પરિબળોની તુલના કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં દરેક વસ્તુની કિંમતને ધ્યાને લેવામાં આવી હતી. ખાસ કરીને જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે વાર્ષિક સૂચકઆંકને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

 

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2Gm0P2s

No comments:

Post a Comment

Pages