વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત

મુંબઈઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા આગામી 2019ના વર્લ્ડકપ માટે ભરતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 15 સદસ્યાના આ ટીમ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી તથા BCCIની સિલેક્શન કમિટી દ્વારા મુંબઈમાં લાંબી ચર્ચા વિચારણા બાદ સિલેક્શન કરી દેવામાં આવ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
વર્લ્ડકપ માટે ભારતીય ટીમ નીચે મુજબ છે

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી.
કાર્તિક અને પંત વચ્ચે હતી જંગ

વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં બીજા વિકેટ કીપર માટે દિનેશ કાર્તિક અને રિષભ પંત વચ્ચે જંગ હતી. પરંતુ સિલેક્શન કમિટીએ અંતે વધારે અનુભવી એવા દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપ્યું હતું.
ચોથા સ્થાન માટે બે ખેલાડીઓ હતા લાઈનમાં

છેલ્લા લાંબા સમયથી ભારતીય ટીમમાં ચોથા ક્રમે બેટિંગ માટે અંબાતી રાયડુ અને વિજય શંકરના નામ પર ચર્ચા ચાલી રહી હતી. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં વિજય શંકરને તક આપવામાં આવી હતી. જેમાં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કરીને પોતાની છાપ છોડી હતી. જેની નોંધ સિલેક્શન કમિટી દ્વારા પણ લેવામાં આવી હતી.
જાડેજાને મળ્યું સ્થાન

છેલ્લા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની વનડે ટીમમાંથી બહાર ચાલી રહેલા ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ વર્લ્ડકપના 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું હતું. હાલમાં ચાલી રહેલી IPLમાં જાડેજા બોલિંગ અને બેટિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. જેના કારણે ટીમમાં તેણે પોતાની જગ્યા બનાવી હતી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2DdMDqz
No comments:
Post a Comment