નવી દિલ્હી: આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પહેલા તબક્કાના દેશના લાંબાગાળાના હવામાનનો વર્તારો આપતા હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આ વખતે સારો વરસાદ રહેવાથી ખેડૂતોને માટે મોટી રાહત રહેશે, અને તેનાથી ખરીફ પાક પણ સારો રહે તેવી સંભાવના છે.
હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો
1951-2000ના આંકડાને ધ્યાનમાં રાખી દેશમાં સરેરાશ વરસાદની માત્રા 89 સેન્ટીમીટર નક્કી કરાઈ છે. જુનથી સપ્ટેમ્બર સુધીમાં જો તેના 96થી 104 ટકા વરસાદ પડે તો તેને સામાન્ય કહેવામાં આવે છે. જો 90-96 ટકા વરસાદ થાય તો તેને સામાન્યથી ઓછો વરસાદ કહેવાય છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આ વખતે સરેરાશ 96 ટકા (5 ટકા પ્લસ માઈનસ) વરસાદ પડશે.
હવામાન ખાતું જુન મહિનાના પહેલા સપ્તાહમાં કયા ક્ષેત્રમાં કેટલો વરસાદ થશે તેની આગાહી બહાર પાડશે. દેશમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારથી શરુ થશે તેની આગાહી મે મહિનાના મધ્યમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2017 અને 2018માં દેશમાં ચોમાસું સામાન્યથી ઓછું રહ્યું છે. 2018માં હવામાન ખાતાએ સામાન્ય વરસાદની આગાહી કરી હતી, પરંતુ વરસાદ 91 ટકા એટલે કે સામાન્યથી ઓછો રહ્યો હતો.
આ વર્ષે દુકાળની સંભાવના માત્ર 17 ટકા હોવાનું હવામાન ખાતાનું માનવું છે, જ્યારે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા 39 ટકા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VLObiG
No comments:
Post a Comment