રોજની માત્ર 20 મિનિટઃ

વોશિંગટનઃ વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રોજની માત્ર 20 મિનિટ કુદરતના સાંનિધ્યમાં વીતાવવાથી સ્ટ્રેસ લેવલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ફ્રન્ટિયર્સ ઈન સાઈકોલોજી જર્નલમાં પબ્લિશ થયેલા અભ્યાસ મુજબ કુદરતનું સાંનિધ્ય કોઈ દવાથી કમ નથી. તેને વૈજ્ઞાનિકોએ નેચર-પિલ્સનું નામ પણ આપ્યું છે.
હવે એક જ મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
સંશોધન થયુંઃ

યુ.એસની યુનિવર્સિટી ઑફ મિશિગનના એસોસિયેટ પ્રોફેસર મેરીકેરોલ હંટરે જણાવ્યું કે, “આપણને એ તો ખબર હતી કે કુદરતના સાંનિધ્યમાં સમય વીતાવવાથી સ્ટ્રેસ ઘટે પરંતુ કેટલો સમય, કેટલી વાર, તેનાથી શું ફાયદા થાય તે અંગે આપણે અજાણ હતા. અમારો અભ્યાસ દર્શાવે છે કે તમે કુદરતને માણી શકો તેવી જગ્યાએ ચાલવા કે બેસવા પાછળ 20થી 30 મિનિટનો સમય ફાળવો તો તમારા સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના લેવલમાં ઘટાડો થાય છે.”
નેચર પિલઃ

આટલું કરવાથી સ્ટ્રેસ તથા ઘરમાં બેસી રહેવાને કારણે સ્વાસ્થ્ય પર જે અવળી અસર પડે છે તેનાથી રાહત મળે છે. આ સંશોધનમાં બે મહિના સુધી પાર્ટિસિપન્ટ્સને 10 મિનિટ કે તેથી વધુ સમય માટે નેચર પિલ લેવા જણાવાયું હતું. આવું અઠવાડિયે કમસેકમ ત્રણ વાર કરવાની સૂચના અપાઈ હતી. આ સાથે જ તેમના શરીરમાં સ્ટ્રેસ માટે જવાબદાર કોર્ટિસોલ લેવલને માપવામાં આવ્યું હતું. હંટરે જણાવ્યું, “આમાં ભાગ લેનારાઓને દિવસ અને સમય પોતાની જાતે પસંદ કરવાની છૂટ અપાઈ હતી. આ પ્રયોગ પછી તે પોતાની જાતને કુદરત સાથે વધુ સારી રીતે સાંકળી શકતા હતા.”
આ સમય પોતાની જાત સાથે વીતાવોઃ

આ સ્ટડીમાં ભાગ લેનારાઓને દિવસ દરમિયાન કુદરતના સાંનિધ્યમાં જવા જણાવાયું હતું. આ સાથે જ નેચર-પિલના સમયે એરોબિક એક્સરસાઈઝ અને સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ તથા ફોન કૉલ્સ, વાંચન અને વાતચીતથી અંતર જાળવવા જણાવાયુ હતુ. અભ્યાસ બાદ માલૂમ પડ્યું કે તમે દિવસની માત્ર 20 કે 30 મિનિટ કુદરતી જગ્યાએ બેસો કે પછી ચાલો તો કોર્ટિસોલ લેવલ સડસડાટ ઘટવા માંડે છે. આ નેચર ડોઝથી સ્ટ્રેસને કારણે થતી અનેક બીમારીઓમાં રાહત મળે છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2TVmrq9
No comments:
Post a Comment