Latest

Sunday, April 7, 2019

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26મીએ વારાણસીમાં ભરશે ઉમેદવારીપત્રક

પીએમ સાથે મંત્રીમંડળ ખાસ હાજર રહેશે
વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. 26 એપ્રિલનાં રોજ લોકસભાની ચૂંટણી માટે વારાણસીમાંથી ઉમેદવારીપત્રક ભરશે. ઉમેદવારીપત્રક ભરવા દરમિયાન પીએમ મોદી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ, અરુણ જેટલી, નીતિન ગડકરી, સુષમા સ્વરાજ સહિત ભાજપ શાસિત રાજ્યના કેટલાક મુખ્યમંત્રીઓ પણ ખાસ હાજરી આપશે. એવું પણ જાણવા મળ્યું છે કે, વર્ષ 2014ની માફક આ વખતે પણ મોદી ઉમેદવારીપત્રક ભરતા પહેલા 25 એપ્રિલના રોજ લંકાથી દશાશ્વમેઘ ઘાટ સુધી આશરે 10 કિમી લાંબો રોડશૉ કરશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બાબા વિશ્વનાથના દર્શન કરશે
તા. 25 એપ્રિલ બાદ તા. 26 એપ્રિલના રોજ બાબા વિશ્વનાથના દર્શન કરીને તેઓ ઉમેદવારીપત્રક ભરવા માટે રવાના થશે. ગત લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ વારાણસી આવ્યા બાદ મલદહિયાથી કચહરી વિસ્તાર સુધી એક વિશાળ રોડ-શૉ કર્યા બાદ ઉમેદવારીપત્રક ભર્યું હતું. ભાજપના કાશીક્ષેત્રના અધ્યક્ષ મહેશચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 6 એપ્રિલથી મોદીનું ચૂંટણી કાર્યાલય ધમધમશે.

રોડ-શૉ
રોડ-શૉની મદદથી પીએમ મોદી વારાણસીમાંથી પૂર્વાંચલ પર શાબ્દિક પ્રહાર કરશે. ધર્મનગરી કાશી ફરી એકવખત ઉત્તર પ્રદેશનું કેન્દ્રબિંદું બનવા માટે તૈયાર છે. ગંગાઘાટ પરથી રાજકીય લહેરો ઉછળશે અને પ્રચારના પડઘા પડશે. ઉત્તર પ્રદેશમાં દર વર્ષે લોકસભા ચૂંટણી ખૂબ ખાસ રહી છે. એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવી હતી. પરંતુ, આરએસએસના મુળીયા ઊંડા થતા હવે તે ભગવાબ્રિગેડનો કિલ્લો માનવામાં આવે છે.

1991થી અત્યારસુધી
બનારસમાં શરુઆતની ત્રણ ચૂંટણીને બાદ કરતા વર્ષ 1984થી અત્યાર સુધી ત્રણ દાયકાથી વધુના સમયમાં કોંગ્રેસ માત્ર એક વખત પોતાની જીત નોંધાવી ચૂકી છે. વર્ષ 1991થી લઈને અત્યાર સુધી માત્ર વર્ષ 2004ની ચૂંટણીને બાદ કરતા ભાજપનું અહીં એક વર્ચસ્વ છે. હવે આ સ્થિતિને નસીબ કહેવું કે રણનીતિ? હેટ્રિક લગાવનારી કોંગ્રેસના બાબુ રઘુનાથસિંહ અને ભાજપના શંકરપ્રસાદ જયસ્વાલને પ્રજાએ ચોથી વખત સંસદભવન સુધી પહોંચવાની તક આપી નથી.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2OXsE3R

No comments:

Post a Comment

Pages