દરોડામાં ઝડપાયો કેશનો ઢગલો

નવી દિલ્હી/ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના સહયોગિઓ અને અન્યની સામે આવકવેરા વિભાગે દરોડાથી ગરમાવો આવી ગયો છે. આ બધાની વચ્ચે આવકવેરા વિભાગે જણાવ્યું કે દરોડા દરમિયાન લગભગ 281 કરોડ રુપિયા હિસાબ વગરના કેશ મળ્યા છે. આ મોટી કાર્યવાહી આવકવેરા વિભાગે 300 અધિકારીઓ કરી. આ દરમિયાન 4 રાજ્યોમાં 52 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા. CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સેશન)નું કહેવું છે કે, કેશનો મોટો ભાગ દિલ્હીમાં મોટા રાજકીય દળના કાર્યલય પર મોકલવાનું ષડ્યંત્ર હતું.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
દરોડા દરમિયાન અધિકારીઓએ 14.6 કરોડ રુપિયાની હિસાબ વગરની કેશ મળી છે અને મધ્યપ્રદેશ તથા દિલ્હીની વચ્ચે થયેલા સંદિગ્ધ ચૂકવણી સાથે જોડાયેલી ડાયરી અને કમ્પ્યુટર ફાઈલ પોતાના કબજામાં લીધી છે. CBDTએ કહ્યું કે વિભાગને 20 કરોડ રુપિયાની સંદિગ્ધ કેશ તુગલક રોડ પર રહેતા મહત્વપૂર્ણ વ્યક્તિના ઘરેથી દિલ્હીની મોટી રાજકીય પાર્ટીના કાર્યાલય પર કથિત રીતે લઈ જવાના પુરાવા મળ્યા છે.
દારુની 252 બોટલો અને કેટલાક હથિયાર પણ મળ્યા

CBDTએ મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું કે, “અત્યાર સુધીમાં દારુની 252 બોટલો, કેટલાક હથિયાર અને વાઘનું ચામડા સિવાય 14.6 કરોડ રુપિયાની બેહિસાબી કેશ મળી છે.” જણાવી દઈએ કે, CBDT આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.
CBDTએ જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં દરોડાની કાર્યવાહી, રાજકારણ અને સાર્વજનિક ક્ષેત્રો સહિત અલગ-અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા 281 કરોડ રુપિયાની બેહિસાબી કેશ એકઠી કરાતી હોવાનું રેકેટ સામે આવ્યું છે. કેશનો એખ ભાગ દિલ્હીમાં રાજકીય પાર્ટીની ઓફિસ મોકલવાનો હતો અને 20 કરોડ રુપિયા મોકલાયા હોવાના પૂરાવા મળ્યા છે. આ રકમ હવાલ રેકેટ દ્વારા દિલ્હીના તુગલક રોડ પર રહેતા વરિષ્ઠ પદાધિકારીના ઘરેથી રાજકીય પાર્ટીના ઘરે મોકલાયા.
બેનામી સંપત્તિનો ખ્યાલ આવ્યો

જોકે, CBDTએ આ રાજકીય પાર્ટી કે તે વરિષ્ઠ અધિકારીનું નામ જાહેર નથી કર્યું. નિવેદનમાં જણાવ્યું કે, રુપિયા એકઠા કરવાનો રેકોર્ડ અને હાથથી લખેલી ડાયરી, કમ્પ્યુટર ફાઈલો અને એક્સેલ શીટના રુપમાં કેશ વિશે માહિતી મળી અને તપાસમાં તેનો ખ્યાલ આવ્યો. દિલ્હીના વરિષ્ઠ અધિકારીના નજીકના સબંધીઓના ત્યાં દરોડા પાડ્યા જેમાં 230 કરોડ રુપિયાનો બેનામી હિસાબ મળ્યો, જેમાં કેશનો હિસાબ, નકલી બીલો દ્વારા 242 કરોડથી વધારેની રકમ વસૂલી અને કર ચોરીવાળી 80 કંપનીઓથી વધારે માહિતી સહિત ગુનો સાબિત કરનારા પુરાવા જપ્ત કરાયા છે.
મહત્વના પુરાવા પણ મળ્યા

CBDTએ કહ્યું કે દિલ્હીના પોશ વિસ્તારમાં ઘણી બેહિસાબી/બેનામી સંપત્તિનો ખ્યાલ આવ્યો છે. જણાવાયું કે, “આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણીપંચનું ધ્યાન દોરવામાં આવ્યું છે” ચૂંટણી મોસમ દરમિયાન કથિત કર ચોરી અને હવાલા લેવડદેવડના આરોપ પર કરાયેલા દરોડા સોમવારે પણ ભોપાલ, ઈન્દોર, ગોવા, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અલગ-અલગ જગ્યા પર ચાલ્યા.
52 ઠેકાણે વહેલી સવારે પાડ્યા દરોડા

300 કર્મચારીઓ કમલનાથના નજીકના અને અન્ય 52 ઠેકાણા પર રવિવારે સવારે દરોડા પાડવાનું શરુ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ વખતે પ્રબળ સંભાવના છે કે આ અભિયાન દરમિયાન એકઠી થયેલી કેશનો ઉપયોગ મધ્યપ્રદેશ અને દિલ્હીમાં રાજકીય ચૂંટણી પ્રચાર અને મતદાતાઓને રુશ્વત આપવા માટે કરવામાં આવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોપાલમાં એક જગ્યાએથી જપ્ત કેશને લાવવા માટે વિભાગ પાસે એખ મોટું વાહન મોકલાયું છે.
કોની તપાસ કરાઈ?

જે લોકોની તપાસ કરાઈ તેમાં કમલનાથના પૂર્વ ખાસ અધિકારી પ્રવીણ કક્કડ, પૂર્વ સલાહકાર રાજેન્દ્ર મિગલાની, અશ્વિની શર્મા, પારસમલ લોઢા, તેમના બનેવીની કંપની મોજર બેયર સાથે જોડાયેલી અધિકારી અને ભત્રિજા રતુલ પુરીનો સમાવેશ થાય છે. કમલનાથે આ દરોડા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું, “આવકવેરા વિભાગના દરોડા અંગે સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી. સ્થિતિ સ્પષ્ટ થયા પછી બોલવું યોગ્ય રહેશે. પણ આખો દેશ જાણે છે કે, પાછલા પાંચ વર્ષમાં કઈ રીતે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરાયો છે અને કોની સામે તેનો ઉપયોગ કરાયો છે.”
from Page Array – I Am Gujarat http://bit.ly/2KnhDuf
No comments:
Post a Comment