Latest

Friday, April 5, 2019

5 એપ્રિલે રિલીઝ નહીં થાય PM મોદીની બાયોપિક, જાણો કેમ

5 એપ્રિલે નહીં આવે ‘PM નરેન્દ્ર મોદી’ ફિલ્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયૉપિક ‘PM નરેન્દ્ર મોદી’ની રિલીઝ ડેટ આગળ વધારવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ફિલ્મના પ્રૉડ્યૂસરે પોતે જ સોશિયલ સાઈટ પર ફિલ્મની રિલીઝ ડેટ 5 એપ્રિલથી આગળ વધારવા અંગે જાણકારી આપી છે. જોકે, હવે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેના વિશે હાલ કંઈ કહેવામાં આવ્યું નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રોડ્યૂસરે આપી જાણકારી

જણાવી દઈએ કે, આ ફિલ્મ 5 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પણ, ફિલ્મના પ્રૉડ્યૂસર સંદીપ શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કન્ફર્મ કર્યું છે કે, હવે આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ નહીં થાય. આ ઉપરાંત પ્રોડ્યૂસરે એ પણ લખ્યું કે, ટૂંક સમયમાં જ ફિલ્મની આગામી રિલીઝ ડેટ શેર કરવામાં આવશે.

બૉમ્બે અને દિલ્હી હાઈકોર્ટે પણ આપી હતી મંજૂરી

જણાવી દઈએ કે, તાજેતરમાં જ બૉમ્બે અને દિલ્હી હાઈકોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ પોતાની નક્કી રિલીઝ ડેટ 5 એપ્રિલના રોજ થિએટમાં આવશે પણ હવે આ ડેટને પણ સ્થગિત કરી દેવાઈ છે.

આ કારણે થઈ રહ્યો છે વિરોધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્માં ચૂંટણી પ્રચારનું કન્ટેન્ટ હોવાને કારણે ચૂંટણીપંચ અસમંજસમાં છે કારણ કે, રિલીઝ ડેટ ઈલેક્શનના પ્રથમ ચરણ 11 એપ્રિલની પહેલા જ આવી રહી છે જેના પર ઘણો હોબાળો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ઘણી વિપક્ષી પાર્ટીઓએ પણ ચૂંટણીપંચને આ ફિલ્મની રિલીઝ ડેટ ટાળવાની વાત કહી છે. તેમનો આરોપ છે કે, ફિલ્મ દ્વારા આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UjrZjk

No comments:

Post a Comment

Pages