Latest

Tuesday, April 9, 2019

દુનિયામાં જે ફુગ રહસ્ય બની છે તે ભારતમાં છેલ્લા 8 વર્ષથી લઈ રહી છે લોકોના જીવ

જેનાથી દુનિયા ડરવા લાગી છે તે વાયરસ તો ભારતમાં 8 વર્ષથી છે

મેડિકલની દુનિયામાં જે નવી ફૂગે દુનિયા ભરના આરોગ્ય નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે અને જેના પર કોઈપણ જાતની દવાઓની પણ અસર નથી થતી. જોકે આ બધાથી પણ વધારે સૌથી ડરામણી બાબત તો એ છે કે આ ફૂગના કારણે દર્દી મૃત્યુ પામે તો પણ ફૂગ તેની આસપાસ જીવંત રહે છે. કેંડિડા ઔરિસ નામનો આ વાયરસ જ્યાં દુનિયા સામે એક મિસ્ટ્રી બન્યો છે. ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે ભારત તેની સામે પાછળા 8 વર્ષથી ઝઝૂમી રહ્યો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

10 પૈકી 2 કેસ કેંડિડા ઓરિસના

વૈશ્વિક રોગ ઘોષિત કરી ચૂકવામાં આવ્યો છે તેવા કેંડિડા ઔરિસના કેસ ભારતમાં 2011માં સામે આવ્યા હતા. અનેક અભ્યાસ દ્વારા આ માહિતી સામે આવી રહી છે. હાલમાં જ એઇમ્સ ટ્રોમા સેન્ટરના ડોક્ટર્સ દ્વારા દર્દીઓની પ્રોફાઇલ પર કરવામાં આવેલ અભ્યાસમાં એ બાબત જણાઈ છે કે 2012થી 2017 દરમિયાન ભરતી કરવામાં આવેલ 10 દર્દીઓ પૈકી 2 દર્દીઓ કેંડિડા ઔરિસના શિકાર હતા.

એન્ટિફંગલ દવાઓ બેસર

કેંડિડ ઓરિસથી સંક્રમિત મોટાભાગના દર્દીઓ પર સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા કોઈ એન્ટિફંગલ દવાઓ ઉપયોગી નીવડતી નથી. કેંડિડ ઓરિસ એક એવું ફંગલ છે જે સમાન્ય રીતે હોસ્પિટલના વાતાવરણમાં વિદ્યમાન હોય છે અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિને પોતાનો શિકાર બનાવે છે.

30 દિવસમાં દર્દીઓનું મોત

વર્ષ 2011થી દેશના 27 મેડિકલ અને સર્જિકલ આઈસીયુમાં આ ફંગસને લઈને મલ્ટી-સેન્ટ્રીક ઓબ્ઝર્વેશન સ્ટડી કરવામાં આવી હતી. જેને 2014માં પ્રકાશિત પણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં સામે આવ્યું હતું કે ઇન્ફેક્શનના કેસમાં માત્ર 27.5% દર્દીઓની જ સારવાર થઈ શકી છે. જ્યારે 45% દર્દીઓને બચાવી શકાયા નથી. તેમનું મૃત્યુ 30 દિવસની અંદર થઈ ગયું છે.

એડવાઈઝરી જાહેર થઈ

આ ફંગસનો ચેપ લાગે તેવા વ્યક્તિનું બચવું ઘણું મુશ્કેલ થઈ ગયું હોવાથી ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સામાન્ય રીતે ફૂગ કે ફંગસનું ઇન્ફેક્શન બે પ્રકારે હોય છે. એલ્બિકેંસ અને નોન-એલ્બિકેન્સ. જેમાં પહેલા પર એન્ટિફંગલ દવાઓ અસર કરે છે. પરંતુ કેંડિડ ઓરિસ નોન એલ્બિકેન્સ પ્રકારનો વાયરસ છે જેના પર આ દવાઓ અસર કરતી નથી. ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે વર્ષ 2017માં જ તમામ હોસ્પિટલ્સને એડવાઈઝરી જાહેર કરી હતી કે જે દર્દીમાં કેંડિડા ઓરિસ વાયરસ મળી આવે તેવા દર્દીને એક અલાયદા રુમમાં રાખવામાં આવે.

એન્ટિફંગલ/એન્ટિબાયોટિક્સનો બેફામ ઉપયોગથી અસાધ્ય બીમારી

ડોક્ટર્સનું કહેવું છે કે આ સ્થિતિને પ્રાથમિક તબક્કે ખાસ ગંભીરતાથી લેવામાં નથી આવી. જ્યારે વારયસ હાલમાં અમેરિકા પહોંચ્યો ત્યાર બાદ જ તેના અંગે વૈશ્વિક સ્તર પર ધ્યાન રાખવામાં આવ્યું. ત્યારે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે જો આપણે એન્ટિબાયોટિક્સ અને એન્ટિફંગલનો મિસયુઝ બંધ નહીં કરીએ તો ભવિષ્યમાં પણ દવાઓ પ્રતિરોધક રોગોને જન્મતા રોકી શકીશું નહીં.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2WSTvko

No comments:

Post a Comment

Pages