Latest

Monday, April 8, 2019

એરલાઈન્સને સમાન અવસર માટે ATFને GST હેઠળ લાવોઃ પ્રભુ

68773676

નવી દિલ્હી:જેટ એરવેઝની કટોકટી વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું છે કે સ્થાનિક એરલાઈન ઉદ્યોગને સમાન અવસર મળે તે માટે જેટ ફ્યૂઅલ(ATF)ને ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ(GST) હેઠળ લાવી દેવું જોઈએ.

પ્રભુએ કહ્યું હતું કે કોઈપણ સેક્ટર માટે ઈનપુટ કોસ્ટ સ્પર્ધાત્મક હોવો જોઈએ અને તેમનું મંત્રાલય માને છે કે એવિએશન ટર્બાઈનલ ફ્યૂઅલ(ATF)ને જીએસટી હેઠળ લાવી દેવું જોઈએ. અલગ-અલગ રાજ્યોમાં અલગ રેટને કારણે એટીએફના ભાવ ખાસ્સા વધારે થઈ જાય છે. રિફ્યૂઅલિંગ કોસ્ટ સાવ બદલાઈ જાય છે. જીએસટી કાઉન્સિલે આ અંગે નિર્ણય લેવો જોઈએ.

મંત્રીએ કહ્યું હતું કે ‘અમે એટીએફને જીએસટી અંતર્ગત લાવવા માટે પ્રયાસ કરીશું જેથી તેના ભાવ વધુ ચોક્કસ બની શકે અને વિમાન કંપનીઓને સમાન અવસર મળી શકે.’

વિમાન કંપનીઓ એટીએફને જીએસટી હેઠળ લાવવાની સતત માગણી કરી રહી છે. જો આમ થાય તો વિમાન કંપનીઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટ પેટે વર્ષે ₹5000 કરોડની રાહત થઈ જાય. તેનાથી જેટ ફ્યૂઅલના ભાવમાં વધારાના બોજને કાબુમાં લઈ શકાય અને વિમાન મુસાફરી કરવા માગતા ગ્રાહકોને પણ રાહત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વિમાન કંપનીઓનો સૌથી વધારે ખર્ચ ATF પેટે જ થાય છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2KlqGvA

No comments:

Post a Comment

Pages