2017માં છુટાં પડ્યાં મલાઈકા-અરબાઝ

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 2017ના મે મહિનામાં છુટાછેડા લીધા હતા. જે બાદ અરબાઝ ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરવા લાગ્યો તો બીજી તરફ મલાઈનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું. મલાઈકા-અર્જુન ટૂંક સમયમાં લગ્ન પણ કરી લે તેવો ગણગણાટ ચાલી રહ્યો છે.
અરબાઝને લગ્ન પર વિશ્વાસ છે?

થોડા દિવસ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન અરબાઝે લગ્ન પર તેના વિચાર અને મલાઈકા સાથે છુટાછેડા લીધા બાદ શું તેને હવે લગ્નમાં વિશ્વાસ છે કે કેમ તે અંગેના જવાબો આપ્યા. અરબાઝ ખાને આ તમામ સવાલોના જવાબ આપતા કહ્યું કે, ‘જો તમને ખબર હોઈ કે તમે એકવાર મરવાના જ છો, તો શું તમે જીવવાનું છોડી દેશો? તમે તે તમામ વસ્તુઓ કરો છો જેને સમાજ અલગ રીતે જુએ છે’.
બીજીવાર લગ્ન કરશે અરબાઝ?

અરબાઝ ખાને કહ્યું કે, ‘હવે સમય બદલાઈ ગયો છે. હવે તો લગ્ન કર્યા વગર પણ લોકો બાળકને જન્મ આપતા ખચકાતા નથી. અમે જોયું છે કે લગ્ન કેવી રીતે કેટલીક બાબતોને સ્થિરતા આપે છે’. તો બીજીવાર લગ્ન કરવા અંગે કહ્યું કે, ‘તમે સ્વસ્થ દેખાઈ શકો છો પરંતુ તમને હાર્ટ અટેક પણ આવી શકે છે. જ્યારે બધું ઠીક લાગે છે ત્યારે તે વધારે મુશ્કેલ થઈ જાય છે. મારા કેસમાં પણ આવું થયું છે’.
‘મને મોહભંગ થયો નથી’

અરબાઝે કહ્યું કે, ‘બધું ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ કેટલીક બાબતોમાં ગરબડ થઈ. તેવામાં યોગ્ય એ જ હતું કે બે લોકો પોતાની લાઈફ પોતપોતાની રીતે જીવે. મને કોઈ સમસ્યા નથી. એક સારી તક છે કે મારી લાઈફમાં ફરીથી પણ થાય. હું એમ નથી કહેતો કે મને મોહભંગ થઈ ગયો અને હું તેના વિશે નહીં વિચારું. બની શકે કે હું તેના વિશે વિચારું. જોઈએ એવી વ્યક્તિ જીવનમાં ક્યારે આવે છે’.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Xs1OUA
No comments:
Post a Comment