અખાત્રીજનું ખાસ મહત્વ

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજનું ખાસ મહત્વ છે. શુભ કામ કરવા માટે પણ આ દિવસને ખાસ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે નવું વાહન, નવું ઘર અને સોનું ખરીદવાથી પરિવારના લોકો પર મા લક્ષ્મીની કૃપા વરસતી રહે છે. આ દિવસે વિશેષ પૂજા વિધિ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મા લક્ષ્મીના પગલાની કરો પૂજા

મોટાભાગના લોકો અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરે છે, જેથી ઘર પર મા લક્ષ્મીની કૃપા વરસતી રહે. પરંતુ આ દિવસે જો તમે મા લક્ષ્મીના પગલાની છાપ મંદિરમાં મુકશો અને રોજ તેની પૂજા કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.
કોડીનો ઉપાય

અખાત્રીજના દિવસે લાલ રંગના કપડામાં 11 કોડીઓને બાંધી મંદિરમાં મુકી દો. આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે. મા લક્ષ્મીને કોડી વધારે ગમે છે તેમ કહેવામાં આવે છે.
આ રીતે કરો લક્ષ્મી પૂજા

અખા ત્રીજના દિવસે લક્ષ્મી નાની પૂજા કરવાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે લક્ષ્મી માને કેસર અને હળદરનું તિલક લગાવો. આમ કરવાથી આર્થિક તકલીફોથી છુટકારો મળશે. આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં એકાક્ષી નારિયેળ અર્પણ કરો. આમ કરવાથી ભક્તો પર માતાના આશીર્વાદ રહે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2V4h11g
No comments:
Post a Comment