આ રીતે કોહલીને મળ્યું સ્થાન!

મુંબઈઃ વિરાટ કોહલીનું ટીમમાં કઈ રીતે આગમન થયું તે અંગે એક નવી અને ચોંકાવનારી વાત સામે આવી છે, અહીં એક વાત એ પણ સામે આવી છે કે, કોહલી એવા સમયે ટીમમાં આવ્યો જ્યારે ધોનને તેનું નામ પણ નહોતી ખબર. મુખ્ય પસંદગીકાર દિલીપ વેંગસરકરે રવિવારે દાવો કર્યો કે, તેમણે એ સમયે કોહલીને ટીમમાં લાવવા માટેની મહત્વની ભૂમિકા ભજવી જ્યારે તે તત્કાલીન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને કોચ ગેરી ક્રર્સ્ટનને તેના વિશે સાંભળ્યું પણ નહોતું.
ત્યારે કોહલીને રમતો જોયો..

વેંગસરકરે એક પુસ્તકના વિમોચન પ્રસંગે આ વાત જણાવી કે, “સાચું કહું તો જ્યારે મે વિરાટ કોહલીને ટીમમાં સિલેક્ટ કર્યો તો તે ઓસ્ટ્રેલિયામાં ઈમર્જિંગ પ્લેયર્સ ટુર્નામેન્ટ રમી રહ્યો હતો અને હું સિલેક્શન કમિટીનો અધ્યક્ષ હતો.” પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું- હું ઓસ્ટ્રેલિયા મેચ જોવા ગયો હતો અને કોહલી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.”
આ રીતે મળ્યું સ્થાન

ભારત માટે 116 ટેસ્ટ રમનાર વેંગસરકરે એમ પણ કહ્યું કે, તામિલનાડુના બેટ્સમેન એસ. બદ્રીનાથે તેમના માટે જગ્યા બનાવવી પડી. વેંગસરકરે કહ્યું કે, “મહેન્દ્રસિંહ ધોની ત્યારે ટીમનો કેપ્ટન હતો અને ગેરી ક્રિર્સ્ટન ટીમ ઈન્ડિયાના કોચ હતા-તેમણે કોહલી વિશે સાંભળ્યું પણ નહોતું. તેમણે કહ્યું હમણાં કોહલીને પસંદ નહોતો કરવાનો અને થોડી મેચ રમવા દેવાનો હતો. અને હું એ વાત પર ભાર આપી રહ્યો હતો કે કોહલીને ટીમમાં જરુરી પસંદ કરવો જોઈએ. આ પછી તેમણે એસ. બદ્રીનાથને ટીમમાં પસંદ કરવો જોઈએ.”
વર્લ્ડ કપમાં કેપ્ટન

કોહલી,એ 18 ઓગસ્ટ 2008એ શ્રીલંકા સામે પોતાનું કરિયરની શરુઆત કરી હતી. તેમણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી ઉપલબ્ધીઓ મેળવી છે. હવે તેઓ 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે.
સચિનનું પણ આવું હતું

લૉડ્સમાં ત્રણ શતક લગાવનાર પૂર્વ કેપ્ટને એ પણ કહ્યું કે, “સચિન તેન્ડુલકરને મુંબઈની રણજી ટીમમાં પસંદ કર્યો હતો. તેમણે કહ્યું- જ્યારે હું બોમ્બે (હવે મુંબઈ) ટીમનો કેપ્ટન હતો. બધા તેને ટીમમાં લેવાના પક્ષમાં નબોતા. લોકોનું કહેવું હતું કે તેની ઉંમર ઘણી નાની છે પણ મે ભાર આપીને કહ્યું કે સચિનને ટીમમાં પસંદ કરવો જોઈએ.”
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2ZnEXva
No comments:
Post a Comment