Latest

Friday, April 12, 2019

ડાયાબિટીસ હોય તો કેરી ખવાય? કેરી ખાવાથી વજન વધે? જાણો 🥭

કેરી અંગે ગેરમાન્યતાઃ

કેરીની સીઝન આવે અને ઘરમાં કોઈને શુગરનો પ્રોબ્લેમ હોય તો બધા જ તેમને કેરી ખાવાની ના પાડે છે. એક તો કેરી સ્વાદિષ્ટ પણ ખૂબ હોય છે અને વળી વર્ષના અમુક જ મહિના આવે છે આથી કેરી ભાવતી હોય તો કંટ્રોલ રાખવો મુશ્કેલ થઈ જાય છે. કેરી ઘણાબધા લોકોનું ફેવરિટ ફ્રૂટ છે પરંતુ તેના અંગે ગેરમાન્યતાઓ પણ ઘણી છે. જેમ કે તેનાથી વજન વધે અને ડાયાબિટીસના દર્દીઓ તે ખાય તો શુગર વધી જાય. જાણો નિષ્ણાંતો આ અંગે શું અભિપ્રાય ધરાવે છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

કેરી ખાવી કે નહિ?

કેરીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને અન્ય વિટામિન્સ પણ સારા પ્રમાણમાં હોય છે. આ તમામ પોષકતત્વો તમારુ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ઉપયોગી છે. કેરી એ કુદરતની દેન છે અને રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ કરવા માટે મદદરૂપ છે. આ ઉપરાંત તે શરીરના બધા જ અવયવોની કામગીરી જાળવી રાખવા, કોષોના કાર્યો જાળવી રાખવા, હેલ્ધી વાળ અને સ્કિન માટે કેરી ખાવી જરૂરી છે.

કેમ ઉનાળામાં છે કેરીનું મહત્વ?

કેરી જેવા રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળ ઉનાળામાં ખાવા જરૂરી છે. તે આપણને આગામી સીઝન ચોમાસા માટે તૈયાર કરે છે. ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

ડાયાબિટીસ હોય તો કેરી ખવાય?

કેરીના કારણે બ્લડ શુગર વધી જાય તેવું ઘણા લોકો માનતા હોય છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓને કેરી ખાવાની મનાઈ કરવામાં આવે છે. ડાયાબિટીસમાં પેનક્રિયાસમાં સોજાને કારણે બીટા સેલ્સ નાશ પામે છે જેને કારણે શરીર પૂરતુ ઈન્સ્યુલિન બનાવી શકતું નથી. વધારે પડતી ખાંડ, શુગરી ફૂડ, બેઠાડુ જીવનશૈલી અને કસરતના અભાવે પેનક્રિયાસમાં સોજો આવે છે. જેને ડાયાબિટીસ હોય તે લોકો પ્રમાણભાન જાળવી કેરી ખાઈ શકે. કેરીમાં ફાઈબર અને એન્ઝાઈમ્સ સારા પ્રમાણમાં હોય છે. તેને કારણે પેનક્રિયાસમાં સોજો ઘટે છે અને બીટા સેલ્સ સક્રિય બને છે. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ જેટલા ફ્રૂટ વધુ ખાય તેટલું સારુ.

ડાયાબિટીસ હોય તો આ રીતે ખાવી જોઈએ કેરીઃ

જો તમને ડાયાબિટીસ હોય તો બેલેન્સ કરીને ફ્રૂટ ખાવ. યોગ્ય કોમ્બિનેશનમાં ફ્રૂટ ખાશો તો વાંધો નહિ આવે અને બ્લડ શુગર લેવલ વધશે નહિ. ફાઈબર અને પ્રોટીન વધારે હોય તેવા સૂકા મેવા અને નટ્સ સાથે ફ્રૂટ ખાવ. આ કારણે તમારુ બ્લડ શુગર લેવલ એકાએક નહિ વધે.

કેરી ખાવાથી વજન વધે?

આનો જવાબ છે ના. ફ્રૂટને કારણે નહિ પરંતુ બેઠાડુ જીવનશૈલી, ઓવર ઈટિંગ, જંક ફૂડ, સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, શુગરવાળુ ફૂડ વગેરેને કારણે વજન વધે છે. કેરી માપમાં ખાવી જોઈએ. તમારી ભૂખ અને લાલચ વચ્ચે અંતર કરતા શીખો. તમારી લાલચને ક્યારેય ભૂખ પર હાવી ન થવા દો. તમારા બે ભોજન વચ્ચે અંતર રાખો. આલ્કોહોલ પીવાનું બંધ કરો અને હેલ્ધી જીવન જીવો. આમ કરશો તો વજન નહિ વધે.

કયો સમય યોગ્ય?

એપ્રિલના મધ્ય ભાગથી કેરી ખાવાનું શરૂ કરો તે યોગ્ય છે. આ પહેલા જે કેરી આવે તે કાર્બનથી પકવેલી કે ભેળસેળવાળી હોય છે અને સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આથી જ્યારે માર્કેટમાં કેરીનો સીઝનનો માલ આવે ત્યારે જ કેરી ખાવાનું શરૂ કરો.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2X75v1W

No comments:

Post a Comment

Pages