મુંબઈ:RBI ગુરુવારે પર્સનલ, હોમ, ઓટો અને MSME લોનના વ્યાજદરને વિવિધ બેન્ચમાર્ક સાથે લિંક કરવા વધુ બેન્કો સાથે વધુ વાટાઘાટની યોજના ધરાવે છે. મધ્યસ્થ બેન્કના પગલાથી આ બાબતે અંતિમ માર્ગરેખા જારી કરવામાં વિલંબ થશે.
RBIએ ડિસેમ્બર ૨૦૧૮માં પર્સનલ, હોમ, ઓટો તેમજ માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (MSEs) લોનના ફ્લોટિંગ રેટને 1 એપ્રિલ 2019થી રેપો રેટ કે ટ્રેઝરી યીલ્ડ્સ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે લિંક કરવા જણાવ્યું હતું. એ વખતે લોનના દરને લિંક કરવાની અંતિમ માર્ગરેખા ડિસેમ્બર 2018ના અંત સુધીમાં જારી કરવાનું જણાવાયું હતું. જોકે, SBIએ તેની સેવિંગ્ઝ ડિપોઝિટ અને ટૂંકા ગાળાની લોનના દર પહેલી મેથી RBIના રેપો રેટ સાથે લિંક કરવાની જાહેરાત કરી દીધી છે.
બેન્કો અત્યારે પ્રાઇમ લેન્ડિંગ રેટ (PLR), બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR), બેઝ રેટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) સહિતના આંતરિક બેન્ચમાર્ક્સને અનુસરે છે. વ્યાજદરને લિંક કરવાની પ્રસ્તાવિત સિસ્ટમના સંદર્ભે RBIએ ગુરુવારે જણાવ્યું હતું કે, “અમે વ્યાજદરના જોખમના મેનેજમેન્ટ અને IT સિસ્ટમ અપગ્રેડેશન માટે જરૂરી સમય સહિતનાં વિવિધ પાસાં અંગે વિવિધ પક્ષકારો સાથે ચર્ચા કરી હતી.”
RBIએ ‘સ્ટેટમેન્ટ ઓન ડેવલપમેન્ટલ એન્ડ રેગ્યુલેટરી પોલિસીઝ’માં જણાવ્યું હતું કે, “પક્ષકારો સાથે વધુ વાટાઘાટ કરી વ્યાજદરનો લાભ ગ્રાહકોને આપવાની અસરકારક પદ્ધતિ વિકસાવવામાં આવશે.”
from Page Array – I Am Gujarat http://bit.ly/2Vo7dvd
No comments:
Post a Comment