Latest

Monday, April 1, 2019

વિચારું છું કે પાકિસ્તાન જતી રહું, ત્યાં હું વધારે ખુશ રહીશઃ સોની રાઝદાન

‘લોકો મને સ્ટારની જેમ ટ્રીટ કરે છે’

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનનું કહેવું છે કે જ્યારથી તેની દીકરી સ્ટાર બની ગઈ છે ત્યારથી લોકો પણ તેને એક સ્ટારની જેમ ટ્રીટ કરે છે. સોની રાઝદાન હાલ પોતાની ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’ના પ્રમોશનમાં બિઝી છે. આ દરમિયાન નવભારત ટાઈમ્સ સાથે થયેલી ખાસ વાતચીતમાં તેણે કાશ્મીરની સ્થિતિ અને કાશ્મીર સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ અંગે વાતચીત કરી. તેણે કહ્યું કે હાલ કાશ્મીરમાં કલ્ચરનું નામ-નિશાન નથી.

‘આપણે ધીમે-ધીમે સંકુચિત થઈ રહ્યા છીએ’

કાશ્મીરની સ્થિતિ વિશે વાત કરતા સોનીએ કહ્યું કે, ‘મને લાગે છે કે આપણે જેટલા વધારે એડવાન્સ અને ગ્લોબલ થઈ રહ્યા છીએ, સાથે-સાથે એટલા જ સંકુચિત થઈ રહ્યા છીએ. મને લાગે છે દુનિયા જેમ-જેમ મોટી થતી જાય છે, તેમ-તેમ સુરક્ષાની ભાવના પણ વધતી જાય છે. આપણે આપણી સભ્યતાને બચાવવાને લઈને સંકુચિત માનસિકતા ધરાવતા થઈ જઈએ છીએ અને આપણે ધર્મ અને જાતિની વાતો કરીએ છીએ. આજ કાલ પણ આ જ થઈ રહ્યું છે’.

‘દેશ હિંદુ રાષ્ટ્ર બને તેની વિરુદ્ધમાં છું’

સોનીએ આગળ જણાવ્યું કે, ‘જ્યારથી કાશ્મીરમાંથી પંડિતો ચાલ્યા ગયા છે, ત્યારથી લોકોના વિચારો સંકુચિત થઈ ગયા છે. જેવી રીતે પાકિસ્તાનમાં બેલેન્સ નથી, તેવી રીતે ભારતમાં પણ ક્યારેય બેલેન્સ ખત્મ ન થવું જોઈએ. ભારત પૂરી રીતે હિંદુ રાષ્ટ્ર બને તેની વિરુદ્ધમાં છું. મારા માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતની ખાસિયત એ છે કે બધા લોકો અહીંયા હળીમળીને રહે છે’.

‘લોકો મને દેશદ્રોહી કહે છે’

સોનીએ કહ્યું કે, ‘જ્યારે હું આવી વાતો કરુ છું ત્યારે લોકો મને દેશદ્રોહી કહી પાકિસ્તાન જવા માટે કહે છે. હું ક્યારેક વિચારુ છું કે પાકિસ્તાન જ જતી રહું. હું ત્યા વધારે ખુશ રહીશ, ત્યાં ખાવાનું પણ સારુ મળે છે. અહીંયા તો લોકો મને ભગાડી મુકે છે. પરંતુ દેશમાં મારા જેવી વિચારસરણી ધરાવતા લોકો વધારે છે તેથી મને ફરક નથી પડતો કે લોકો મારા માટે શું વિચારે છે’.

‘લોકો મારી વાત પર મને ટ્રોલ પણ કરશે’

ઈન્ટરવ્યૂમાં આગળ સોનીએ જણાવ્યું કે, ‘લોકો મને કહે છે પાકિસ્તાન જતા રહો, મારી આ વાત પર તેઓ મને ટ્રોલ કરે છે. જ્યારે લોકોએ કહ્યું જ છે તો હું પાકિસ્તાન જઈશ અને વેકેશન માણી પરત પણ ફરી જઈશ. હું ત્યાં રહેવા માગતી નથી’

5 એપ્રિલે રિલીઝ થશે ફિલ્મ

સોની રાઝદાનની ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’માં તેની સિવાય કુલભૂષણ ખરબંદા, અંશુમન ઝા, અશ્વિન કુમાર અને શિવમ કુમાર પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન અશ્વિન કુમારે કર્યું છે. આ ફિલ્મ કાશ્મીરના બે છોકરાઓ વિશે છે, જે તેના ગુમ થયેલા પિતાની શોધમાં છે. ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2YDiwSe

No comments:

Post a Comment

Pages