Latest

Sunday, April 21, 2019

‘તારક મહેતા…’માં દયાબેન ન હોવાથી શોને થયું મોટું નુકસાન, મેકર્સની ચિંતા વધી

‘તારક મહેતા…’ને ફટકો

સબ ટીવી પર પ્રસારિત થતી પોપ્યુલર કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની છે. શોના ફેન્સ પણ દોઢ વર્ષથી દિશા વાકાણી એટલે કે દયાબેન પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે અત્યારસુધીમાં દિશા શોમાં પરત ફરશે કે કેમ તે અંગેના સમાચાર સામે આવ્યા નથી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના ન હોવાથી મેકર્સને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ટીઆરપી રેટિંગમાં મળી પછડાટ

દિશા વાકાણી જે વર્ષે મેટરનિટી લીવ પર ગઈ તે વખતે તેની ટીઆરપી પર કોઈ વધારે અસર પડી નહોતી. પરંતુ આ અઠવાડિયાની ટીઆરપી રેટિંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ફટકો પડ્યો છે. ટીઆરપીમાં પહેલા નંબર પર ‘કુંડલી ભાગ્ય’ છે, જ્યારે બીજા નંબર પર ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ છે. જ્યારે ત્રીજા નંબર પર ‘નાગિન 3’ છે.

ટોપ 10ના લિસ્ટમાંથી બહાર

આ અઠવાડિયાની ટીઆરપી રેટિંગમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટોપ 10ની લિસ્ટથી બહાર છે. આ પાછળનું કારણ દિશા વાકાણીની ગેરહાજરી હોઈ શકે છે. મેકર્સ નવા દયાબેનની શોધ કરી રહ્યા છે, આ માટે તેમણે ઓડિશન્સ લેવાનું પણ શરૂ કરી દીધું છે.

દિશાના પતિએ મુકીએ આવી શરત?

પહેલા જાણકારી મળી હતી કે દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણીએ હવે શોમાં પાછા આવવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ આ વચ્ચે એવી પણ માહિતી મળી હતી કે દિશા શોમાં કમબેક કરી શકે છે, જો મેકર્સ તેની માગણી પૂરી કરે તો. કોઈમોઈની એર રિપોર્ટ મુજબ દિશા વાકાણીના પતિએ મેકર્સને બાકીને રકમ ચૂકવવા માટે કહ્યું છે. જો કે નિર્માતાઓએ તેનો જવાબ આપતા પૈસાની ચૂકવણી વિશેના બધા દાવાનું ખંડન કર્યું હતું.

પ્રોડ્યૂસર્સે માગણીનો કર્યો અસ્વીકાર

કેટલીક અન્ય રિપોર્ટ્સ અનુસાર, દિશાના પતિએ નિર્માતાઓ પાસે માગણી કરી છે કે એક્ટ્રેસ માત્ર દિવસમાં 4 કલાક અને મહિનામાં 15 દિવસ કામ કરશે. આ પ્રકારની માગણીનો નિર્માતાઓએ અસ્વીકાર કરી દીધો છે, જેના કારણે દિશા વાકાણીના પાછા આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Pngph7

No comments:

Post a Comment

Pages