Latest

Friday, April 12, 2019

મૂવી રિવ્યુઃ ધ તાશકંદ ફાઈલ્સ

લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પર આધારિતઃ

ઈતિહાસના વિવાદાસ્પદ પાસાઓને દર્શાવવાની ક્રિએટિવ આઝાદી એક ફિલ્મમેકરને ચોક્કસ હોય છે. વિવેક અગ્નિહોત્રીએ આ જ ક્રિએટિવ ફ્રીડમનો ઉપયોગ કરીને ધ તાશ્કંદ ફાઈલ્સ મૂવી બનાવી છે. ફિલ્મ ઈતિહાસના સૌથી ચર્ચાસ્પદ અધ્યાય એટલે કે દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મોતની આસપાસ ચકરાવા લે છે. આ ફિલ્મમાં સવાલ ઊઠાવાયા છે કે શું તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું કે પછી તાશ્કંદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ તેમને ઝેર આપી દેવાયું?

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

ઉઠાવ્યા આ સવાલ

લાલ બહાદુર શાસ્ત્રીનું મોત 11 જાન્યુઆરી 1966ના રોજ થયું હતું. તેમનું મૃત્યુ પછી પોસ્ટ મોર્ટમ કરવામાં કેમ ન આવ્યું? તેમના શરીરે અનેક જગ્યાએ કટ્સના નિશાન કેમ હતા? તેમનું પાર્થિવ શરીર ભારત લાવવામાં આવ્યું ત્યારે સૂજેલુ અને કાળુ કેમ હતું? જો કે વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનો આ વિષય પસંદ કર્યો તેની સામે લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં જે તથ્ય તરફ ઈશારા થયા છે તે એકપક્ષી છે. ખાસ કરીને દેશમાં ચૂંટણીનો માહોલ પરાકાષ્ટાએ છે ત્યારે.

ચર્ચામાં છે ફિલ્મ

ફિલ્મ રીલીઝ પહેલા ત્યારે વિવાદમાં આવી હતી જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્રએ ડિરેક્ટરને લીગલ નોટિસ મોકલી. આ ફિલ્મની સ્ટોરી મહત્વકાંક્ષી પોલિટિકલ પત્રકારના સ્કૂપ લાવવાની ચેલેન્જથી શરૂ થાય છે. આ પત્રકાર રાગિણી (શ્વેતા બાસુ પ્રસાદ)ને તેના બૉસે અલ્ટીમેટમ આપ્યું છે કે તે 15 દિવસની અંદર અંદર કોઈ સ્કૂપ નહિ લાવે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આવામાં જન્મ દિવસે તેને એક લીડ મળે છે જે ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મોત અંગે છે. તેને ઉકસાવવામાં આવે છે કે જો આ વિવાદાસ્પદ પ્રકરણ અંગે તે સરકારને જવાબદાર બનાવશે તો મોટો સ્કૂપ બની શકે છે. ત્યાર પછી રાગિણી ઈન્વેસ્ટિગેશનમાં જોડાય છે અને પોતાના સવાલોથી તહેલકો મચાવી દે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાનનું મૃત્યુ કુદરતી હતું કે નહિ?

સવાલના જવાબ શોધવાનો પ્રયાસ

ત્યાર પછી શ્યામ સુંદર ત્રિપાઠી (મિથુન ચક્રવર્તી), પીકેઆર નટરાજન (નસીરુદ્દીન શાહ) જેવા પોલિટિકલ નેતા એકબીજાના વિરોધી હોવા છતાંય આ સવાલોની હકીકત જાણવા કમિટી બનાવે છે. આ કમિટીમાં રાગિણી અને શ્યામ સુંદર ત્રિપાઠી સહિત એક્ટિવિસ્ટ (ઈન્દિરા જોસેફ રોય), ઈતિહાસવિદ્ આયશા અલી શાહ (પલ્લવી જોશી), ઓમકાર કશ્યપ (રાજેશ શર્મા), ગંગારામ ઝા (પંકજ ત્રિપાઠી), જસ્ટિન કુરિયન અબ્રાહમ (વિશ્વમોહન બડોલા) જેવા લોકોને પસંદ કરવામાં આવે છે.

સનસનીખેજ ખુલાસા

આ સ્ટોરીમાં અનેક સનસનીખેજ ખુલાસા થાય છે. અમુક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે. આ મામલામાં રાગિણીની મદદ કરે છે પૂર્વ જાસૂસ મુખ્તાર (વિનય પાઠક). સ્ટોરીમાં અનેક બીજા પાત્રો છે જે 1966માં રચાયેલા ષડયંત્રની થિયરીની સાથે સાથે રાગિણી સાથે થનારા ષડયંત્ર અને ધમકીઓના ખુલાસા પણ કરે છે.

અહીં ઢીલી પડે છે ફિલ્મઃ

વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મને વિશ્વસનીય બનાવવા માટે અનેક ઐતિહાસિક પુસ્તકો, ખબરો, સંદર્ભો અને તથ્યોનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. પરંતુ સાથે એક મોટું ડિસ્ક્લેમર આપ્યું છે કે તેમણે સિનેમેટિક લિબર્ટી લીધી છે. પરંતુ અફસોસ એ વાતનો કે તે આ મુદ્દાને યોગ્ય રીતે એક્ઝિક્યુટ નથી કરી શક્યા. આ ફિલ્મ ફર્સ્ટ હાફમાં લાંબી ખેંચાતી હોય તેવી લાગે છે. સેકન્ડ હાફમાં ડ્રામા એટલો વધારે છે કે ડિરેક્ટર લાલ બહાદુર શાસ્ત્રીની અકુદરતી મોતને સાબિત કરવા માટે બેબાકળા થઈ જાય છે.

પ્લસ અને માઈનસ પોઈન્ટઃ

ફિલ્મના ક્લાઈમેક્સમાં ડિરેક્ટર પોતાનો પોઈન્ટ સાબિત કરે છે. પરંતુ તેમણે જે તથ્ય દર્શાવ્યા છે તેની વિશ્વસનીયતાની પરખ કરવા માટે તમારી પાસે કોઈ માધ્યમ નથી. દર્શક તરીકે તમારુ કન્ફ્યુઝન વધઈ જાય છે. ઉદય સિંહ મોહિતેની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત, ગીત સબ ચલતા હૈ ફિલ્મમાં ખલેલ પહોંચાડે છે. ફિલ્મની મજબૂતી તેની સારી કાસ્ટ છે.

પાવરફૂલ પરફોર્મન્સઃ

આ ફિલ્મમાં બધા જ કલાકારોએ ઉમદા અભિનય કર્યો છે. નસીરુદ્દીન શાહનો રોલ ઘણો નાનો છે. મિથુન ચક્રવર્તીએ શ્યામ સુંદર ત્રિપાઠીની ભૂમિકામાં ખૂબ મનોરંજન કર્યું છે. પલ્લવી જોશી લાંબા અરસા બાદ પરદે જોવા મળી છે. પંકજ ત્રિપાઠી, મંદિરા બેદી, રાજેશ શર્માએ પોતાના પાત્રોને સારો ન્યાય આપ્યો છે. રાગિણીના રૂપમાં શ્વેતાએ પાવરપેક્ડ પરફોર્મન્સ આપ્યું છે. તેણે આ કોમ્પ્લિકેટેડ ભૂમિકા સારી રીતે નિભાવી છે. જો તમને ઈતિહાસને સંલગ્ન ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ જરૂર ગમશે. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UxcEfb

No comments:

Post a Comment

Pages