બંધ થશે ‘યે હૈ મહોબ્બતેં’

ફેમસ ટીવી શો ‘યે હૈ મહોબ્બતે’ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. રિપોર્ટ અનુસાર આ શો ટૂંક સમયમાં જ બંધ થઈ જશે. એક્ટર કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠી દહિયા આ શોમાં લીડ રોલમાં જોવા મળે છે. 2013થી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોની ટીઆરપી છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ઘટી રહી છે. જે પછી મેકર્સે આ નિર્ણય લીધો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ કારણે મેકર્સે લીધો નિર્ણય

ટીઆરપી વધારવા માટે શોમાં નવો પ્લોટ પણ ક્રિએટ કરવામાં આવ્યો, સ્ટોરીમાં અનેક ટ્વિસ્ટ પણ જોવા મળ્યા હતાં પરંતુ કોઈ જ ફાયદો થયો નહોતો. જે પછી મેકર્સે શોમાં નવા કેરેક્ટર્સની એન્ટ્રી પણ કરાવી પછી પણ ટીઆરપીમાં કોઈ ઉછાળો જોવા મળ્યો નહોતો. જે પછી મેકર્સે આ શોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ફેબ્રુઆરીથી જ આ શો બંધ થઈ જશે એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો. જોકે, ઓફિશ્યિલ પુષ્ટિ થઈ નહોતી. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે સાચ્ચે જ આ શો બંધ થઈ રહ્યો છે.
આ સમયે થઈ જશે બંધ

આ શોમાં આલિયા ભલ્લાનો રોલ કરી રહેલી કૃષ્ણા મુખર્જીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. કૃષ્ણાએ કહ્યું કે,’યે હૈ મહોબ્બતે’ જૂનમાં ઓફ એર થવા જઈ રહ્યો છે. જેની ટીઆરપી સારી છે પરંતુ મને ખબર નથી કે આ શો શા માટે બંધ થઈ રહ્યો છે. કોઈ શોને છોડીને આગળ વધવું એ ખૂબ જ મુશ્કેલીભર્યું હોય છે. કારણકે અહીં દરેક તમારા પરિવાર સમાન બની જાય છે.
ગત વર્ષે પૂરા થયા 1500 ઓપિસોડ

‘યે હૈ મહોબ્બતે’એ ગત વર્ષે 1500 એપિસોડ પૂરા કર્યાં હતાં. જોકે, આ પહેલીવાર નથી જ્યારે આ શો ઓફ એર થશે તેવા ન્યૂઝ આવ્યાં હોય. આ પહેલા પણ શો બંધ હોવાની અટકળો આવી ચૂકી છે. આ સાથે જ એવા પણ ન્યૂઝ હતાં કે એકતા કપૂરે ‘યે હૈ મહોબ્બતે’નો એક સ્પિન ઓફ બનાવી રહી છે. જોકે, તેના વિશે પણ કોઈ ઓફિશ્યિલ પુષ્ટિ નથી.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2GtYVNz
No comments:
Post a Comment