Latest

Friday, April 12, 2019

દીકરીની ઉંમરની જાણીતી લેખિકાને અમદાવાદનો શિક્ષક મોકલતો હતો ‘ગંદા’ મેસેજ

જાણીતી લેખિકા સાથે અમદાવાદમાં બની આવી ઘટના

વાંચનનો શોખ ધરાવતા લોકો નિકિતા સિંહના નામથી પરિચિત હશે. 27 વર્ષની યંગ રાઈટર નિકિતા અત્યાર સુધીમાં 11 બુક્સ લખી ચૂકી છે. 2013માં નિકિતાએ દુર્જોય દત્તા સાથે મળીને ‘સમવન લાઈક યૂ’ નામની બુક લખી છે. નિકિતા પોતાની બુક લોન્ચ થવાની હોય એ વખતે જુદા-જુદા શહેરોમાં ફરીને પ્રમોશન કરે છે. તાજેતરમાં જ નિકિતા સાથે એવી ઘટના બની કે તે હચમચી ગઈ અને ઈવેન્ટમાં જવાનું કેન્સલ કરી દીધું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મહેન્દ્ર વાઘેલા સામે નિકિતાએ મૂક્યો આરોપ

નિકિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપવીતી સંભળાવી. નિકિતા પોતાની બુક ‘ધ રિઝન ઈઝ યુ’ માટે 10 શહેરોની ટૂર પર નીકળી હતી. ગયા મહિને આઠ શહેરોની ટૂર તો નિકિતાએ કરી લીધી પરંતુ શિલોંગ અને ચેન્નાઈની ટૂર કેન્સલ કરી દીધી. આમ કરવાનું કારણ અમદાવાદનો એક ચિત્ર શિક્ષક છે. નિકિતાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમુક કારણોસર અમદાવાદની ટૂર વખતે મારા ટીમ મેમ્બર્સ સાથે નહોતા. ખબર નહીં ક્યાંથી પણ આધેડ ઉંમરનો એક વ્યક્તિ મળવા આવી ગયો.” કથિત રીતે આ વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર તેને માનસિક રીતે પ્રતાડિત કરતો હતો. તેનું નામ મહેન્દ્ર વાઘેલા છે અને તે પેન્ટિંગ શીખવે છે.

‘બિભત્સ ટિપ્પણી કરી’

નિકિતાએ આગળ જણાવ્યું, “ઈવેન્ટમાં આ શખ્સ મારી સામે આવ્યો ત્યારે મેં હિંમત બતાવી અને તેને સવાલ કર્યા. તે ભાગ્યો તો સ્ટોરની બહાર સુધી તેનો પીછો કર્યો. સોશિયલ મીડિયા પર ઘણા નેગેટિવ મેસેજ મળતા રહે છે પણ હું તેને ધ્યાનમાં નથી લેતી. પરંતુ આ વિકૃત મગજના વ્યક્તિએ મારા શરીર પર બિભત્સ ટિપ્પણી કરતી વાર્તાઓ મેસેજમાં મોકલી. છેલ્લા બે વર્ષથી તે મને આ પ્રકારના મેસેજ મોકલતો હતો. ગયા વર્ષે મેસેજ બોક્સમાં આ જોયું તો તેને બ્લોક કરી દીધો. તમે વિચારો કે તેના મેસેજ કેટલી હલકી કક્ષાના હશે કે એક વર્ષ પછી જ્યારે મને ઈવેન્ટમાં મળ્યો તો હું તેને ઓળખી ગઈ. મેં તેને એકલા હાથે ઝડપી પાડ્યો. બુક સ્ટોરના માલિક મારી મદદ કરવાને બદલે મને શાંત કરવાની કોશિશ કરતા હતા.”

નિકિતાએ લોકોને મદદ કરવાની અપીલ કરી

આ ઘટના બાદ નિકિતાએ બાકીના બે શહેરોની ટૂર કેન્સલ કરી. ટીમ સાથે મળીને નિકિતા ટૂરનું ફોરમેટ બદલવા માગે છે. જેથી આવી ઘટનાઓ ફરી ન બને. નિકિતાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેન્દ્ર વાઘેલાએ મોકલેલા મેસેજના સ્ક્રીન શોટ મૂક્યા છે. સાથે જ મહેન્દ્ર વાઘેલા પાસે ચિત્ર શીખવા જતા બાળકોના પેરેન્ટ્સ સુધી પહોંચવા માટે મદદ માગી છે. જેથી મહેન્દ્રની હકીકત લોકો સામે છતી કરી શકાય. ચિત્ર શિક્ષકના વેશમાં છૂપાયેલા વિકૃત વ્યક્તિના મગજને ઉઘાડું પાડી શકાય.

Disclaimer: નિકિતા સિંહે આ આખી ઘટનાની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મેસેજના સ્ક્રીન શોટ શેર કર્યા છે. અમે આ ઘટનાની પુષ્ટિ કરતાં નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IgvEI0

No comments:

Post a Comment

Pages