Latest

Friday, April 5, 2019

શા માટે પુરુષોને પણ નિતંબ પર ફોલ્લીઓ થાય છે? આ છે કારણ

શા માટે થાય છે આવું?

ઉનાળાની સિઝનમાં સ્ત્રીઓની માફક પુરુષોને પણ તેના નિતંબ પર ફોલ્લીઓ થાય છે. જે રીતે શરીરના બીજા ભાગમાં ગરમીઓને કારણે અળાઈઓ થાય છે તેમ પુરુષો અને સ્ત્રીઓને પણ નિતંબ પર ઉનાળામાં ફોલ્લીઓ થવી સામાન્ય છે. આવું થાય ત્યારે વ્યક્તિને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. આમ થવા પાછળનું કારણ ગરમી છે. ઉનાળામાં તાપમાનમાં વધારો થતા તેની સીધી અસર વ્યક્તિના નિતંબ ઉપર પણ થાય છે. જે સામાન્ય સ્થિતિ કરતા થોડા વિસ્તરણ પામે છે. જો તમને પણ આવું થતું હોય તો ઉનાળાની સિઝનમાં ફોલ્લીઓથી બચવા માટે આ ટિપ્સ અપનાવી શકાય છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વધુ પડતી રુવાંટી

એ જગ્યાએ વધુ ગરમી અને પરસેવા થવા પાછળનું એક કારણ ત્યાં ઊગી નીકળતી રુવાંટી છે. ગરમીની સિઝનમાં વધુ પડતા ફીટ કપડાં પહેરવાથી અને લાંબા સમય સુધી ટાઈટ કપડાંને કારણે ચામડીમાં અંદર બળતરા થાય છે. જેના કારણે ત્યાં ખંજવાળ આવે છે અને રુવાંટી પણ કરડે છે. સમય જતાં ત્યાં ફોલ્લીઓ શરુ થાય છે. આ માટે ત્યાં સફાઈ રાખવી જોઈએ અને પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ.

ગંભીરતાથી લેવું જોઈએ

જ્યારે આ પ્રકારની કોઈ સ્થિતિ સામે આવે ત્યારે તેને ઈગ્નોર ન કરવી જોઈએ. આવા સમયે તેને ગંભીરતાથી લેવી જોઈએ. સમય જતા આ ફોલ્લીઓ મોટી થાય છે અને દુખાવો પણ શરુ થાય છે. જે બેસવામાં તથા હલનચલનમાં તકલીફ ઊભી કરે છે. સંપૂર્ણ નહીં તો અંશતઃ આ સ્થાનેથી રુવાંટી દૂર કરવી જોઈએ. જેથી બેક્ટેરિયામાંથી ચામડીને મુક્તિ મળી રહે. આ કરવાથી ખંજવાળ પણ ઓછી આવે છે અને ફોલ્લીઓ પણ થતી નથી.

બોડીવોશ શેમ્પુ

સામાન્ય દિવસો કરતા ઉનાળામાં ચામડીને સીધી અસર થાય છે. તે પાછળનું એક કારણ ન્હાવા માટેનો સાબુ પણ હોઈ શકે છે. ઉનાળામાં ખાસ સાબુનો ફ્લેવર ચામડીને અનુસંધાને બદલવો જોઈએ. બોડીવોશ શરીરને અનુકૂળ હોય તે રીતે ખરીદવું જોઈએ. જે બેક્ટેરિયાનો ખાતમો કરે છે અને ચામડીને સ્વસ્થ રાખે છે. ઉનાળામાં ચામડી જેટલી સ્વસ્થ રહે છે તેટલો શરીરને ફાયદો થાય છે.

ખરબચડી ચામડી

ઉનાળામાં ચામડી ખરબચડી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેલીસાયલિક એસિડ ધરાવતા બોડીવોશનો ઉપયોગ કરવો જોઈએ જે શરીરની ચામડીને શુષ્ક થતી બચાવે છે. આ ઉપરાંત તે ચામડીને સ્મૂથ અને ચેપમુક્ત રાખે છે. લાંબા સમય સુધી જ્યારે બાહર કામ કરવાનું થાય ત્યારે આ પ્રકારની તકેદારી રાખવાથી ફાયદો થાય છે.

અંડરવેર બદલો

ઉનાળામાં દરરોજ અંડરવેર બદલી દેવો જોઈએ. દરરોજ નવો તથા ધોયેલો અંજરવેર પહેરવો જોઈએ. જે શરીરની ચામડીને રોગમુક્ત રાખે છે. આ ઉપરાંત અનુકૂળ અંડરવેરને કારણે ચામડી પણ સારી રહે છે. જ્યારે તે ભાગમાં વધુ પડતો ભેજ જમા થાય છે ત્યારે ખંજવાળ અને ફોલ્લીઓની શરુઆત થાય છે. બને ત્યાં સુધી ત્યાં ચામડી સ્વસ્થ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

ફીટ કપડાં ન પહેરવા જોઈએ

આમ થવા પાછળનું એક કારણ વધુ પડતા ફીટ કપડાં પણ હોઈ શકે છે. વધુ પડતા ફીટ કપડાં હોવાને કારણે ત્યાં ભેજ જમા થાય છે અને દુર્ગંધ પણ આવે છે. જેના કારણે બંમ્પ પર ફોલ્લીઓ થાય છે અને ચેપ લાગે છે. આવું ન થાય તે માટે ઉનાળામાં વધુ પડતા ફીટ કપડાં ન પહેરવા જોઈએ. થોડા હળવા અને લાઈટ કલરના કપડાં પહેરવા જોઈએ.

વધુ પડતો પરસેવો થાય ત્યારે

જો ત્યાં વધારે પડતો પરસેવો થતો હોય તો તે ભાગને બને ત્યાં સુધી સુકો રાખવો જોઈએ. સમયાંતરે સફાઈ કરવી જોઈએ. આ સિવાય ઉનાળામાં બાહરની ઘરે આવ્યા બાદ કે જીમમાં વર્કઆઉટ કર્યા બાદ સીધા શાવર નીચે ન્હાવું જોઈએ. જેથી કોઈ બેક્ટેરિયા શરીરમાં કોઈ રોગ ન ફેલાવે.

 



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2VpXRiy

No comments:

Post a Comment

Pages